SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [ viii] આસકિતથી મુકત મનુષ્ય મૃત્યુની સમીપ સ્વેચ્છાએ જાય છે. મૃત્યુથી તે ભયભીત થતું નથી, કારણ કે આત્મા અમર છે એવું તે જાણતા હોય છે. આવા ઉચ્ચ નૈતિક આદર્શો સાથે જૈન ધર્મ ભારતની પરંપરા અને સંસ્કૃતિને જુદી જુદી રીતે સમૃદ્ધ કર્યા છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના સિદ્ધાંતોની આજે, પહેલાં કદી ન હતી એટલી જરૂર છે, કારણ કે વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય પ્રગતિએ સર્જેલા ઘણા નૈતિક અને આધ્યાત્મિક પ્રશ્નો માનવતાની સામે પડ્યા છે. જૈન ધર્મ વિષે ઘણાં પુસ્તકો છે, પણ પ્રસ્તુત પુસ્તકની પોતાની વિશિષ્ટતાઓ છે. જુદા જુદા વિષયો પરની લેખકની ચર્ચાઓ પ્રમાણભૂત છે અને આ ચર્ચાઓનું, ધર્મગ્રંથોમાંથી ઉદ્ભૂત શ્લોકો તેમજ સૂત્રો અને તે પરની ટીકાઓ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. જૈન ધર્મને પરિભાષારહિત પરિવેશમાં સમજવા માગતા વિવેકી વાચકોના આવકારને તે પાત્ર છે. જૈન ધર્મ માત્ર ધર્મ કે સુવ્યવસ્થિત દર્શન નથી. સંસારનાં બંધનો જેમણે ત્યજી દીધાં છે એવા અનેક સામાન્ય જનો તેમજ સંતોને આધ્યાત્મિક શાંતિ આપતી એ એક જીવનપ્રણાલી છે. - જસ્ટીસ તુકોલમાં અંગ્રેજીના પ્રાધ્યાપકની સુસંસ્કૃત અભિવ્યક્તિ, પ્રતિષ્ઠિત એડવોકેટની દઢ તર્કશકિત, અનુભવી ન્યાયાધીશની સંતુલિત રજૂઆત અને સત્ય અને વાસ્તવિકતાના જાગૃત અન્વેષકનાં બૌદ્ધિક ઊંડાણને સમન્વય થયો છે. તેઓ પવિત્ર શ્રાવક હોવા ઉપરાંત જૈન ધર્મના ગાઢ અને જાગૃત અભ્યાસી રહ્યા છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસ અને ઊંડી સમજના પરિપાકરૂપ આ પુસ્તકમાં જસ્ટીસ તુકોલના આ બધા ગુણ દેખાઈ આવે છે. જ્ઞાન, નય, ઈશ્વર, સૃષ્ટિ અને અનેકાતવાદ જેવા કેટલાક જૈન સિદ્ધાંત તેમણે બહુ સુબોધ શૈલીમાં સમજાવ્યા છે. તેમની પૂર્વેના અભ્યાસીઓના ઘણા ખોટા ખ્યાલો તેમણે દૂર કર્યા છે અને તે સિદ્ધાંતોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા છે. જસ્ટીસ તુકોલના વિવરણ કાળજીભર્યો અભ્યાસ, હિંદુ તત્ત્વદર્શનની શાખાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા, ભારતની ચિતનપદ્ધતિ અને જીવનનાં ઘણાં ક્ષેત્રોને પ્રભાવિત કરતા જૈન ધર્મની સાચી સમજ આપશે. એ. એન. ઉપાધે મહેસુર વિશ્વવિદ્યાલય માનસ ગંગોત્રી, હૈસુર-૬ ૨૨મી મે, ૧૯૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy