________________
લેખકનો પરિચય • શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ.તા. : ૩૦-૩-૩૬) • અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ.,
પી.એચડી. • ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં
શિક્ષક • ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા
કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. • હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિ વિષયક લેખો લખવાનો શોખ. જૈન
સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. • જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા (કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન). સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને
સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. • ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭૨ સુધીનો અઢી વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને
સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (૧૯૭ર જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ક્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં
ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. • બાર વ્રતધારી શ્રાવક: નવલાખ નવકાર, ઉવસગ્ગહર, લોગસ્સ અને સંતિકરંનો
જાપ પૂર્ણ કરેલ છે. • શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ,
જૈન સોશ્યલ ગ્રુપ – બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ – સુરત, વી.એસ. પટેલ કૉલેજ – બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર – એવોર્ડ
પ્રાપ્તિ. • શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન
અને વાર્તાલાપ. • પત્ની સ્વ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત (પુત્રો), (સ્વાતિ) શાથતયશાશ્રીજી
મ.સા. (પુત્રી)
(0)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org