________________
3.
નિયતિ : બધું જ નિશ્ચિત છે. જે બનવાનું હોય છે તે અને જ છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. આવું માનવું તે નિયતિવાદ છે.
૪.
આ નિયતિવાદી કાળ અને સ્વભાવને માનતો નથી. તે દરેક ઘટનાને નિશ્ચિત માને છે. પ્રયત્ન કરવાં છતાંય જે નિશ્ચિત છે તે મિથ્યા નથી થઈ શકતું, એવી તેની એકાંતિક માન્યતા હોય છે.
કર્મ : જેવી કરણી તેવી ભરણી. સારાં કર્મ કર્યા હોય તો સારાં ફળ મળે. ખરાબ કર્મ કર્યો હોય તો ખરાબ ફળ મળે. આમ માનનાર કર્મવાદી કાળ. સ્વભાવ અને નિયતિ ત્રણેયનો ઈન્કાર કરે છે અને કર્મને જ મુખ્ય અને મહત્ત્વનું માને છે. ૫. પુરુષાર્થ : પ્રયત્નથી જ બધું થાય છે. પ્રયત્નથી દુ:ખને સુખમાં બદલી શકાય છે. પુરુષાર્થવાદી કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મ આ ચારેયનો અસ્વીકાર કરે છે અને માત્ર પુરુષાર્થને જ પ્રાધાન્ય આપે છે.
આ પાંચમાંથી કોઈ એકને મુખ્ય અને અન્યને ગૌણ કરવા તે મિથ્યાત્વ છે. પરિણામમાં પાંચેયનો તરતમતાએ ફાળો હોય છે.
દા.ત. એક જીવનો મોક્ષ થયો. તેનો મોક્ષ થવામાં ઉપર્યુક્ત પાંચેયનો ફાળો હોય છે.
૧. કાળ પામ્યો એટલે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું.
૨. ભવ્ય જીવોનો જ સ્વભાવ હોય છે કે તે મોક્ષ માટે પુરુષાર્થ કરે.
૩. પુરુષાર્થ કર્યો સાધના કરી.
૪. કર્મનો ક્ષય થયો.
૫. નિયતિ હતી કે તેનો મોક્ષ થાય એટલે થયો.
આમ પાંચ સમવાય સાથે રહે છે.
સાહિત્ય :
-
વિશેષ અભ્યાસ માટે અનુયોગદ્વાર સૂત્ર વાંચવું.
Jain Education International
૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org