SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સાવરકુંડલા નિવાસી ધર્મનિષ્ઠ સંઘવી વીરજીભાઈ ગોપાલજીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત - સદગત શ્રી. વીરજી ગોપાલજી સંઘવીની જન્મતિથિને એ કસ દિવસ તો માલૂમ નથી, પરંતુ તેઓ ૮૬ વર્ષની ઉંમરે ઈ સ. ૧૮માં સ્વર્ગવાસ પાગ્યા એટલે તેમનો જન્મ ઈ. સ. ૧૮૮૩ની સાલમાં થયો હતો એમ કહી શકાય. તેમના પિતાનું નામ સંઘવી નેપાલજી હંસરાજ. શ્રી ગોપાલજી સંઘવીને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. તેમના પુત્ર શ્રી રામચંદભાઈ શ્રી. વિરજીભાઈ શ્રી. હરજીવનભાઈ, શ્રી. મણિભાઈ અને શ્રી. દલીચંદભાઈ. ચાર પુત્રીઓમાં સૌથી મોટો કસ્તૂરબહેન જેઓ આજે પણ લગભગ ૯૭ વર્ષની વયે તન્દુરસ્ત જીવન જીવે છે તેમનાથી નાનાં જડીબહેન અને અજવાળીબહન પણ હયાત છે જ્યારે સંતોકબહેન સ્વર્ગવાસ પામ્યાં છે. આ રીતે શ્રી. ગોપાલજી સંઘવીનું બહોળુ કુટુંબ હતું. પાંચેય પુત્રોમાં આજે સૌથી નાના પુત્ર શ્રી. દલીચંદભાઈ હયાત છે ત્યારે અન્ય સો ભાઈઓ સ્વર્ગવાસ પામ્યા છે. સૌ ભાઈ-બહેનોને ત્યાં વિશાળ કુટુંબ પરિવાર છે. " શ્રી. વીરજી સંઘવીનાં માતાનું નામ શ્રી. જમકુબહેન. શ્રી. જમકુમાં અત્યંત દયાળુ, વ્યવહારકુશળ, ભારે પ્રતાપી અને જાજરમાને નારીરત્ન હતાં. નિમિત્ત અને શુકનશાસ્ત્રનું તેઓ સરસ જ્ઞાન ધરાવતાં અને તેમનું વિશાળ કુટુમ્બ આજે જે જાહોજલાલી જોગવી રહ્યું છે, તે બધું જમકુમાનાં પુણ્ય પ્રતાપને આભારી છે એમ તેમને સઘળે પરિવાર આજે પણ માને છે. અતિથિદેવો મત એ એમનું જીવનસત્ર હતું. કોઈ પણ અતિથિ એમને ત્યાં જાય એટલે ભાવપૂર્વક તેમને સત્કાર થતો. સાધુ કે સાધ્વી જ્યારે પણ ગામમાં હોય ત્યારે ન્મકુમા તેમની અપૂર્વ વૈયાવચ્ચ કરતાં. • : આતિયસત્કારના આ મહાન ગુણને પૂરેપૂરે વારસો શ્રી. • વીરજી બમ્પાને પણ પ્રાપ્ત થયો હતો. કુંડલામાં કઈ પણ શ્રાવક ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy