SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ક્ષમાપના ) ; [ ૫૯. આ સંસાર અને જીવન વિષે જેઓ ઓછામાં ઓછું જાણે છે તેઓ જ અન્ય વ્યક્તિઓ અને સંબંધીઓની મોટામાં મોટી ફરિયાદ કરતા જોવામાં આવે છે. સંસાર અને જીવન વિષે જેઓ વધુમાં વધુ સમજતા હોય છે, તેઓને કોઈની વિરૂદ્ધમાં ભાગ્યે જ ફચિાદ કરવાની હોય છે, કારણ કે તેઓ જાણતા હોય છે કે વ્યક્તિ માત્ર તેની પ્રકૃતિ અનુસાર જ વર્તતી હોય છે અને પ્રકૃતિ કર્માનુસાર પ્રાપ્ત થયેલી હોય છે, પછી એ બાબતની ફરિયાદ-ગુસ્સો-ક્રોધ કરવાનો અર્થ શું છે?" ઉપકારી, અપકારી, વિપાક, આજ્ઞા અને ધર્મોત્તર એવા પાંચ ક્ષમાના પ્રકારો છે. “આ મારે ઉપકારી છે, તે તેના દુર્વચનાદિ સહન કરવા ગ્ય છે.” એમ સમજી ઉપકારીને વિશે ક્ષમા રાખવી તે ઉપકારી ક્ષમા. “હું તેના દુર્વચનાદિ નહિ સહન કરૂં તો તે મારે અપકાર કરશે” એ ભાવનાથી જે ક્ષમા રાખવામાં આવે તે ક્ષમાના પરિણામને અપકારી ક્ષમા કહેવાય. “નરકાદિ દુર્ગતિમાં કર્મના ફળને અનુભવ કરે પડશે” એવા વિચારથી દુઃખથી ભીરુ હોવાને લીધે ક્ષમાના પરિણામ થવા, તેને વિપાક ક્ષમા કહેવામાં આવે છે. કાધ ન કરવો” ઈયાદિ આગમને અવલંબીને ક્ષમાના પરિણામ થાય તેને આજ્ઞાક્ષમા કહેવાય છે. શરીરને છેદ, દાહ વગેરે થાય તે પણ બીજાને ઉપકાર કરનાર-સહજભાવે સ્વાભાવિક રીતે થયેલાં ક્ષમાના પરિણામને ધર્મોત્તર ક્ષમા કહેવામાં આવે છે, અને આપણું ધ્યેય આ ધર્મોત્તર ક્ષમાનું હોવું જોઈએ. ધર્મોત્તર ક્ષમા એ જ ઉત્તમોત્તમ ક્ષમા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy