SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ | [ જાણ્યું અને જોયું વાતોનો એ કેમ જાણે પ્રત્યુત્તર આપી રહ્યા હોય તેમ લ્યાઃ “જૈનધર્મ મહાન ધર્મ છે એવા તમારા કથનમાં મને જશ પણ શંકા નથી, પરંતુ કથનની પાછળ તેને અનુરૂપ આચરણ ન હોય તો એવા કથન એક પ્રકારના પાખંડરૂપ બની જાય છે. ધમને ઉપદેશ આપ એ એક વસ્તુ છે અને ધર્મનું આચરણ કરવું તે જુદી વસ્તુ છે જેન ધર્મ વિશ્વધર્મ થવાને યોગ્ય છે તે સાચું પણ એ વિશ્વધર્મ થાય તે પહેલાં તમારા જુદા જુદા વાડાદિગમ્બર, વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપંથી, લેકાગચ્છ, તપાગચ્છ, અંચળગચ્છ, ખડતલગચ્છ, આ બધાને તે એક કરો. જગતને સુધારવા નીકળ્યા હોવાનો દાવો કરનારાઓ સૌથી પ્રથમ તમારું ઘર તે તપાસ! તમે સૌ ભગવાન મહાવીરના અનુયાયીઓ હવાને દાવો કરે છે, પણ મહાવીરના અનુયાયી કહેવરાવવા માટેની તમારી લાયકાત શી છે તેને તો જરા વિચાર કરે !” વશરામગિરીજીની વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. જૈનધર્મ અને જૈન સમાજમાં પરિવર્તી રહેલી પરિસ્થિતિ વિષેના તેના જ્ઞાનથી હું ડઘાઈ ગયો અને મને કાપો તો લોહી ન નીકળે એવી મારી સ્થિતિ થઈ. બીજે દિવસે તો રજા લઈ અમે સૌ ગિરનારજી પરથી નીચે ઉતરી ગયા.' કે આપણે એ ભૂલી જઈએ છીએ કે ધર્મનું બીજ, ધર્મ શાસ્ત્રોમાં નહિ પણ માનવહૃદયમાં છે. જે એ બીજ માનવહદયમાં ન હોય તે ધર્મશા અને ધર્મગ્રંથોને એવા માણસ માટે કશે ઉપયોગ નથી રહેતું. (જૈન સેવક તા. ૨૦-૩-૬૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy