SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ]. [ જાણ્યું અને જોયું દેવલોકની ઝાંખી આપણને થઈ શકે છે. દેવલોકને પૃથ્વી પર સાકાર રૂપમાં જેવું હોય તેણે ગિરનારજી પર રહેવું જોઈએ. ઉપરકેટના જેન મંદિર, શેષાવન, ભરતવન, હનુમાનધારા, ગૌમુખી ગંગા, અંબાજી, ગોરખ ટૂંક, દત્તાત્રયની ટૂંક, સાત પડા, રાજુલ ગુફા, હાથી પગલા, પથ્થરચેટી, સેવાદાસની જગ્યા અને તેની ગુફાઓ, કમંડળ કુંડ અને પાંડવ ગુફા–આ બધાં પવિત્ર અને મનોહર સ્થાને જુદા જુદા પ્રકારનાં દેવવિમાન જેવાં લાગે છે. ગિરનારજી એટલે પૃથ્વી પરનું જીવંત-જાગ્રત દેવલોક ભાવિ ચોવીશીના બધા તીર્થકરોની નિર્વાણભૂમિ ગિરનાર છે, તેથી એક રીતે તે દેવકના દે માટે પણ ગિરનાર એ તીર્થભૂમિ છે. જે જગ્યામાં અમે રહેતા હતા તેની તમામ વ્યવસ્થા ત્યાં રહેતા સાધુ વશરામગિરિજી (હવે તો તેઓ કાળધર્મ પામ્યા છે.) કરતા હતા. તેઓ વૃદ્ધ, આનંદી અને મિલનસાર પ્રકૃતિના હતા. મારે મેટા ભાગને વખત હું તેમની સાથે ધર્મચર્ચામાં પસાર કરતો. જૈન ધર્મની વિશાળતા, તાત્ત્વિકતા અને ગહનતાની મોટી મોટી વાત હું તેમની પાસે કરતે. જૈન ધર્મ એટલે ત્યાગ-તપ-સંયમને ધર્મ એમ કહી હું જૈન ધર્મના સિદ્ધાંત તેમને સમજાવતે. અહિંસા-સત્યઅસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિષે જેટલી ઝીણવટ અને ઊંડાણથી જૈન ધર્મશાસ્ત્રોમાં છણાવટ કરવામાં આવી છે, તેટલી ઝીણવટ અને ઊંડાઈ અન્ય ધર્મશાસ્ત્રોમાં જણાતી નથી, એવી મારી દલીલ સામે તેઓ માત્ર સ્મિત કરતા, પણ ચર્ચામાં ઉતરતા નહિ. તેઓ આવી ચર્ચા વખતે ચૂપ રહેતા તેથી મને આશ્ચર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy