SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] [ જાણ્યું અને જોયું તેના પિતાજીના મિત્રે કોઈ બાઈને ત્યાં જમવા માટેની સગવડતા કરાવી આપી, અને પરિણામે તે બાઈ સાથેના સહવાસના. કારણે તે લપસી પડ્યો. બ્રહ્મદત્તના પૂર્વ જીવનમાં જ્યારે તે સાધુ હતા ત્યારે સુનંદા રાણી તેને વંદન કરવા ગયેલાં, અને તે વખતે શરતચૂકથી તેના માથાના વાળની એક લટ સરી સાધુ પાસે જઈ પડી, અને તે નિમિત્તના કારણે સાધુએ એવી અનેક સ્ત્રીઓની સાથે ભોગે ભેગવવાનું નિયાણું બાંધ્યું. આના પરિણામે બ્રહ્મદત્તના જીવને અધમમાં અધમ યોનિ એટલે સાતમી નારકીમાં જવું પડયું. આવી રીતે નિમિત્ત બહુ બળવાન છે, અને જીવની ઉર્ધ્વગતિ તેમજ અર્ધગતિમાં તેનું સ્થાન મહત્વનું છે. સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધ બાબતમાં લખતાં સદ્દગત શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું છે કેઃ આધુનિક જીવનમાં બીજાંયે ઘણાં ભયસ્થાને વધી ગયાં છે. એ ભયસ્થાન એકાંતવાસથી ઊલટા પ્રકારનાં એટલે અતિ સહવાસનાં હોય છે. અનેક પ્રવૃત્તિઓ અને શહેરી જીવનને અંગે સ્ત્રી પુરૂષને એક બીજાનાં અંગોનો સ્પર્શ કોઈવાર અજાણતાં, કેઈ વાર અનિવાર્યપણે, અને કેઈવાર જોતજોતામાં થઈ જાય છે. ગાડીએમાં, મેટરમાં, સભાઓમાં, રસ્તામાં એક બીજા જોડે ભીંસાઈને બેસવું પડે છે. વાર્તાલાપ કરવો પડે છે. શિક્ષકોને છોકરીઓ કે બાળાઓને શીખવવું પડે છે–અને એ સર્વે બન્નેને માટે ભયસ્થાન છે. આ બધી પરિસ્થિતિમાં જે પિતાની પવિત્રતા માટે વધારે પડતું ગુમાન રાખે છે તે પડે જ છે; જે જાગ્રત રહે છે તે એ પ્રસંગોને સુખરૂપ નહીં, પણ આપત્તિરૂપ સમજે છે. એમાંથી જેમ બને તેમ તસુભાર પણ દૂર રહેવું પણ નજીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy