SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ભારતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી શરદબાબુએ અનુભવેલા પ્રસંગની આ વાત છે. શ્રી શરદબાબુએ લખેલી અનેક નવલકથાઓમાં તેમની “ચારિત્રહીન” પણ એક પ્રખ્યાત નવલકથા છે અને આ રસમય ઘટના પણ આ ગ્રંથ અંગેની છે. એક વખત શ્રી શરદબાબુ કાશીની મુસાફરીએ ગયા હતા અને ત્યાં તેઓ “ઉત્તરા” પત્રના સંપાદક સુરેશ ચકવતીને ઘેર ઊતર્યા હતા. એક દિવસે વહેલી પ્રભાતે કાશીમાં રહેતા ચાર પાંચ બંગાળી ભાઈઓ તેમને મળવા ગયા અને તેઓએ શ્રી શરદબાબુના માનમાં ગોઠવેલા એક સમારંભમાં પધારવા માટે વિનંતી કરી. શરદબાબુએ પ્રથમ તો કહ્યું કે આવા સમારંભમાં હાજરી આપવી અને પ્રશંસાની અતિશયોક્તિભરી વાણી સાંભળવી તેમને પસંદ નથી અને વળી ક્યાંય ભાષણ કરવું એ પણ તેની પ્રકૃતિને અનુકૂળ નથી. આવેલા ગૃહસ્થોએ કહ્યું કે એ સમારંભમાં તેમણે માત્ર હાજરી જ આપવાની છે અને કશું ભાષણ કરવાનું નથી. અંતે શરદબાબુએ પેલા ગૃહસ્થોની આહભરી વિનંતીને વશ થવું પડ્યું અને સમારંભમાં મુકરર કરેલા ટાઈમે તેઓ ગયા. એ સભામાં શરદબાબુના અનેક પ્રશંસકેએ હાજરી આપી અને હારતોરાથી તેમનું ઉત્તમ સન્માન પણ કર્યું. ત્યાં આવેલા ભાઈઓની સ્નેહભરી લાગણથી શરદબાબુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy