SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. ભાવના- ભાવનાશિની ] [ ૧૧૭ નિશાન ન હતું. અંતર જુઓ તે કેરું ધાકર પણ બાહ્ય આડંબરને કઈ પાર નહિ. આવા શ્રેષ્ઠિને ત્યાં ભગવાન જ્યારે ભિક્ષા અર્થે ગયા ત્યારે અભિનવ શેઠ ગાદી તકિયા પર મોઢામાં પાન ચાવતા ચાવતા આરામથી બેઠા હતા. અનેક ભિક્ષુકોની માફક આ પણ ભિક્ષુક છે એમ શેઠશ્રીને પ્રથમ વિચાર આવ્યું, પણ ભગવાનના તેજની તેના પર અસર થઈ એટલે ગુસ્સે ન થતાં ઘરમાંથી દાસીને બેલાવી, આવેલા ભિક્ષુક એટલે ભગવાનને ઘરમાં જે કાંઈ હેય તે આપવા આજ્ઞા કરી. મોટા ધનવાનને ત્યાં જે નોકર ચાકરે હોય છે તે વળી ધનવાનને માથે પછાડવા જેવા હોય છે અને એવા નાલાયક હોવાના કારણે જ નોકરી માટે તેની પસંદગી થયેલી હોય છે. ભૂલેચૂકે કોઈ સારે કે સાચે માનવી તેમને ત્યાં નોકર તરીકે રહી જાય, તો પણ તે લાંબે ટાઈમ ટકી શકતો નથી. ધનનો કોઈ આવાજ પ્રકારને પ્રભાવ હોય છે. વેઠ ઉતારતી હોય તેમ દાસી રસોડામાંથી અડદના બાકળા જે તૈયાર હતા તે લઈ આવી અને પાતરામાં વહેરાવ્યાં. ભગવાન અડદના બાકળા વહોરી જેવા હવેલીની બહાર પગ મૂકે છે ત્યાં તરત જ ચમત્કાર થયે. આકાશમાં દેવદુન્દુભીને નાદ થયે અને “અહોદાન, અહેદાનને ધ્વનિ સંભળા. ત્યાં તો તરત જ પુષ્પઆદિ પાંચ વસ્તુઓની વૃષ્ટિ થઈ. અભિનવ શેઠને પછી તે તરતજ ભાન થયું કે આ કઈ સામાન્ય ભિક્ષુક નથી, આ તો કોઈ મહાન વિભૂતિ લાગે છે. અભિનવ શેઠને થયું કે આવી મહાન વિભૂતિને માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy