SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. લક્ષ્મીપૂજન દિવાળીના દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન કરે છે અને નવા ચોપડામાં જૈન વેપારીભાઈઓ મથાળે લખે છે કે : ગૌતમસ્વામીની લબ્ધિ હેજે”, “શાલિભદ્રની સિદ્ધિ હો', અભયકુમારની બુદ્ધિ હો”, “કયવન્ના શેઠનું સૌભાગ્ય હેજે”, આમ આવી બધી માગણીઓ છે તો ઉત્તમ પ્રકારની પરંતુ કર્મશાસ્ત્રના નિયમ અનુસાર માનવીને માગવાથી કશું મળતું નથી. માનવીને તેના કર્માનુસાર બધું મળે છે, એટલે એને જેની જરૂર હોય તેને અનુરૂપ કર્મ કરવું જોઈએ. કર્મ એ યૌગલિક વસ્તુ છે. જે વસ્તુ જોઈએ, તેને અનુરૂપ પુરૂષાર્થ કરવાથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. પશ્ચિમના દેશની પ્રજા પણ હવે Law of cause and effect અર્થાત કાર્યકારણના નિયમમાં માનતી થઈ ગઈ છે. વસ્તુની પ્રાપ્તિ માટે ઇચ્છા નહિ પણ ઉપાસનાની આવશ્યકતા છે. ગૌતમસ્વામીએ અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, પણ તેની પાછળ મહાન તપની આરાધના હતી. તપ કર્યા સિવાય ચોપડામાં “ગૌતમસ્વામીની લબ્ધિ હો” એમ લખવા માત્રથી કાંઈ લબ્ધિઓ પ્રાપ્ત થતી નથી. આવા શુદ્ધ તપની સાથોસાથ સ્વસ્થતા, પ્રસન્નતા અને વિશુદ્ધતા આપોઆપ આવતાં જ જાય છે. આવા તપસ્વીઓ ઈછે કે ન ઈ છે તો પણ લબ્ધિઓ તેને પ્રાપ્ત થાય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy