SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] [ જાણ્યું અને જોયું કેઃ “આજે આપણે શ્રમણ સંઘ છિન્નભિન્ન થઈ ગયા છે. એકએકના મન બદલાઈ ગયાં છે. સૌના દિલ જુદાં છે, એને લઈને સંગઠ્ઠન તૂટી ગયું છે. એટલે કોઈ પણ કાર્ય આપણે સકલના પૂર્વક નથી કરી શક્તા. આજે ધર્મના માર્ગે પ્રતિ વર્ષે લાખ રૂપિયાને વ્યય થાય છે. નિંદા, ટીકા અને ઈર્ષ્યા એ ભયંકર દુર્ગુણોએ શાસનના અંગને ફેલી ખાધું છે. ૪૦ -૫૦ વર્ષ પૂર્વે સાધુ પ્રત્યે જે પ્રેમ હતો, જે સભાવ હતો, તે આજે નથી. પરસ્પરની બેદણું અને પરસ્પરના મતભેદો, એને લઈને આજે ભયંકર દુર્દશા જોઈ રહ્યા છીએ૩ શ્રીમદ્ આનંદઘનજીએ તેમના સમયમાં પ્રવર્તતા ગચ્છના ભેદે માટે એક સુંદર પણ તમતમતી ટકર ભગવાન અનંતનાથજીના સ્તવનમાં કરી છે. પણ આજે તે આપણું (સુ?) શ્રાવકે એક સંઘાડાના સાધુઓના ભક્ત હોઈ અન્ય સંઘાડાના સાધુઓને વંદન કરવામાં પણ મિથ્યાત્વપણું જુવે છે. અરે!! વંદન કરવાની વાત તે બાજુએ રહી પણ દર્શન કરવામાં પણ પાપ થઈ જાય એવું માનનારા કોઈ કોઈ મહાનુભાવો વર્તમાન કાળ જૈન સમાજમાં હસ્તિ ધરાવે છે. આને સાંપ્રદાયિક ધર્મ કહે કે ઝેર ? એક વિદ્વાન મુનિરાજે જ્યારે મને કહ્યું કે જેને સમાજમાં આજે “નમે એ સવ્વ સાહૂણંને બદલે “નમો લેએ સંઘાડા સાહૂણં'ની પરિસ્થિતિ પ્રવર્તી રહેલી છે ત્યારે શરમપૂર્વક હું નીચું જોઈ રહ્યો. ચતુર્વિધ સંઘની શુદ્ધિ અને શક્તિ કેળવવા આજથી છ વર્ષ પહેલાં અખિલ ભારતીય જેન વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એ ૩. સાપ્તાહિક “જૈન” તા. ૨-૧૨-૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy