SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. પરિવર્તન ] [ ૭૯ દ્વારા નહિ, પરંતુ અત્યંતર વૃત્તિઓના આધારે અંકાવાં જોઈએ, એ હકીકત તમારા જેવા સંન્યાસીએ તે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.” વિવેકને લેપ ન થાય તે અર્થે નરેન્દ્ર ચાલી ન જતાં ત્યાં બેસવાનું કબૂલ તો રાખ્યું, પણ તેઓ આંખ મીંચીને લગભગ ધ્યાનસ્થ થઈ ગયા. નરેદ્રની પ્રતિભા, પવિત્રતા ને વિશુદ્ધતાની પેલી નર્તકી પર ભારે અસર થઈ. આ સંન્યાસી તેનું ભજન સાંભળે તેમાં તેને તેના જીવનની ધન્યતા લાગી. મહારાજાના આગ્રહને વશ થઈ નરેન્દ્ર ત્યાં બેઠા, એટલે મધુર અને સુકોમળ કંઠે પેલી નર્તકીએ ભક્ત સૂરદાસનું નીચેનું ભાવવાહી ભજન શરૂ કર્યું - પ્રભુ મેરે અવગુણ ચિત્ત ન ધરો, સમદશ હૈ નામ તિહારે, ચાહે તો પાર કરે. કઈ નદિયા કઈ નાવ કહાવત, મેલ હિ નીર ભરે, જબ મિલ કરકે ઇક વર્ણભ, સુરસુરિ નામ પડ્યો. ઈક લેહા પૂજામેં રાખત, ઈક ઘર બધિક પડ્યો, પારસગુણ અવગુણ નહિ ચિંતવે, કંચન કરત ખરો. (હે પ્રભુ! મારા અવગુણ પર તમે ધ્યાન ન આપશે; કારણ કે, તમે તે સમદશી છે, એટલે કે બધા જ જીવે તમારી દષ્ટિએ તે સમાન છે. વરસાદનું એક ટીપું નદીમાં પડે છે, બીજું ગંદા પાણીથી ભરેલા નાળામાં પડે છે, પણ જ્યારે આ ટીપાંઓ ગંગા નદીના શુદ્ધ પવિત્ર જળમાં એકઠાં થાય છે, ત્યારે તે તે પવિત્ર થઈ જાય છે. લોખંડના એક ટૂકડામાંથી મંદિરની મૂતિ બને છે અને લેકે તેને પૂજે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy