SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચ`દ્રાચાય વિદ્યુતવિજ્ઞાનશેાધક એડિસન વિષે કહેવાય છે, કે એને ઈંગ્લૅન્ડના રાજાની સાથે મળવા માટે પાંચ મિનિટને પણ અવકાશ ન હતા. વ્યર્થ એક પણ વિચારને જીવનમાં સ્થાન ન હાય તા જ આટલા ઉદ્યોગ શક્ય છે. કાર્લોઈલ કહે છે તે અરાખર છે: Genius is the capacity to take inexhaustible pains. હેમચંદ્રાચાર્યે ગુજરાતમાં પગ મૂકયો, પાટણમાં આવ્યા અને અણહિલપુરમાં માળવાની રાજલક્ષ્મી સાથે સરસ્વતી પણુ આવી. વ્યાકરણ, કેશ, તત્ત્વજ્ઞાન, ન્યાય, ચૈાગ, રસ, અલંકાર, ઇતિહાસ, પુરાણ, ધાર્મિક આખ્યાના એમ અનેક કૃતિએથી એમણે માતા ગુર્જરીને, જેમ કોઇ મહાન પ્રાસાદને શિલ્પી શણગારે તેમ, આભરણુરિત કરી દીધી. ૧૫૧ ------ હેમચ'દ્રાચાર્યે મેળવેલી આ સિદ્ધિને જ્યારે સમગ્રપણે ખ્યાલ કરીએ છીએ ત્યારે એ, માત્ર પોતાના જમાનાના ૪ નહિ પણ, હરકોઈ જમાનાના મહાપુરુષ હતા એમ લાગે છે. કેટલાક મનુષ્ય. મહાન હોય છે; પણ તે પોતાના જમાના પૂરતા જ. જમાનેા બદલાય કે તરત એમનું મૂલ્યાંકન કરી જાય. પરંતુ જેમણે જમાનાની સાથે સાથે જ પોતાની જાત વિષે પણ સ`શેાધન કરીને એમાંથી જ પછી જમાનાને ઘડવાના પ્રયત્ન કરેલા હેાય છે, એવા મનુષ્યા નિત્ય પ્રેરણા દાયી રહી શકે છે. હેમચંદ્રાચાર્ય નું જીવન આવુ નિત્ય પ્રેરણાદાયી છે. હેમચ'દ્રાચાય ના સંબધમાં ઉદ્યોગશીલતા ઉપરાંત આજી મહત્ત્વની વસ્તુ એ છે, કે એમણે જે કા` લીધું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy