SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ [૩૭] ભુખ તૃષા શીત ઉષ્ણાદિ ભાવોમાં તથા વિષ્ટાદિક પદાર્થોમાં, ગ્લાનિને અભાવ તે નિવિચિકિત્સારૂપ તૃતીય અંગ છે. અશુદ્ધ દેવ, ગુરૂ અને શાસ્ત્રોને વિષે સમ્યકત્વવાન પુરૂષે મૂઢ દષ્ટિપણુથી રહિત રહેવું તે અમૂઢદષ્ટિવ નામે ચતુર્ભાગ છે. અન્યના ગુણને પ્રકટ કરી દેષનું અપ્રસિદ્ધપણું રાખવાની વૃત્તિ તે ઉપગૂહનરૂપ પંચમાંગ છે. કામ ક્રોધ મદ લેભાદિ વડે ધર્મમાર્ગથી ચુત થતા સ્વને અથવા પરને યુક્તિઓ વડે ધર્મમાં સ્થિર કરવું તે સ્થિરીકરણરૂપ પકાંગ છે. મહાત્માઓની સાથે પરમ પ્રીતિ રાખવી તે વાત્સલ્ય નામક સપ્તમાંગ છે અને દાન તપશ્વરણ જિનપૂજનાદિ ચમત્કાર વડે જિન ધર્મને પ્રભાવના યુક્ત કરે તે પ્રભાવને નામે અછમાંગ છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી આ આઠ અંગાવડે આભારૂપ પ્રાસાદને ટકાવી રાખવો જોઈએ. સમ્યકત્વના બધા મળી શુદ્ધિ, લિંગ, જયણું વગેરે સડસઠ ભેદ છે, તેને વિસ્તાર શાસ્ત્રમાં વિસ્તૃતપણે પ્રતિપાદન થયેલ છે. આવા પ્રકારના સમ્યકત્વને ન પામવા દેનાર કર્મ તે મિથ્યાત્વે મેહનીયાદિ ત્રણ મિહનીય કર્મના વિભાગો છે. સમ્યક્ત્વ એ આત્માના શાસ્ત્રોક્ત રીતિએ શ્રદ્ધાન ગુણનું પ્રકટવું તે છે. અંતરાય કર્મ: અંતરાય કર્મના પાંચ ભેદ છે. દાન, લાભ, બેગ, ઉપભોગ, અને વીર્ય દાનના પણ પાંચ પ્રકારે છે. અભયદાન, અનુકંપાદાન, સુપાત્રદાન, કીર્તિદાન અને ઊચિતદાન. કરડે રૂપીઆની મિલકત હોવા છતાં અમુક પ્રાણી દાન આપી શકતો નથી, તે દાનાંતરાયના કર્મને ઉદય છે. અનેક મહેનત કરતાં અમુક પ્રાણી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિથી બેનસીબ રહે છે તે લાભાંતરાય. સુકેમળ શયા અને સુંદર સ્ત્રી પાસે હોવા છતાં ઉપભોગ કરવાની અશકિત તે ઉપભેગાંતરાય. પુષ્પ વગેરે એકવાર ભોગવવામાં આવે તે વસ્તુનું ભોગથી રહિત હોવાપણું તે ભેગાંતરાય અને શક્તિ હોવા છતાં ફેરવી શકવાના સંજોગોને અભાવ, તે વર્યા રાય છે. અંતરાયકર્મના ઉદયે મમ્મણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy