SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયાગ [૨૭] જાય છે અને એક વખત પ્રાપ્ત થયેલું આ જ્ઞાનનુ કદાપિ ચ્યવન થતું નથી કૈવલ્યપ્રાપ્ત તીર્થંકર અને સામાન્ય કવળી અતેની ખાદ્યઋદ્ધિ અથવા અતિશયામાં તફાવત છે; પરંતુ જ્ઞાનપ્રાપ્તિને અંગે બિલકુલ તફાવત રહેલા જ નથી આ પાંચ જ્ઞાનમાં જે જ્ઞાનને આવરણા હાય તે તે જ્ઞાનથી આત્મા દૂર રહે છે. જેમ જેમ આવરણા દૂર થાય છે તેમ તેમ નાનાંશુ સ્ફુરે છે. જ્ઞાનના અધ્યાપક, જ્ઞાનના સાધને અને જ્ઞાની મનુષ્યાની અવગણના, આશાતના અને તિરસ્કાર કરવાથી નાનાવરણીય ક`બંધ પ્રાણીઓને થાય છે, એમ સિદ્ધાંતા સ્પષ્ટ રીતે કહે છે, નાવરણીય ક :—તે નવ પ્રકારે છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ, કૈવલ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણુદ્ધિ. જન્મતાં જ અથવા પાછળથી નિમિત્ત કારણુવડે આંખેાથી અધત્વ પ્રાપ્ત થવુ. તે ચક્ષુ દનાવરણીય. જન્મથી અથવા અન્યનિમિત્ત કારણથી આંખ સિવાય અન્ય ઇંદ્રિયાનું બહેર મારી જવું તે અચક્ષુદનાવરણીય. ચક્ષુથી અગાચર રહેલા રૂપી પદાર્થો દેખી શકવામાં નિર્બળતા હોવી તે અવધિદર્શોનાવરણીય, રૂપી અને અરૂપી અને પદાર્થાને આત્મબળથી સામાન્યપણે જાણવાના સામાર્થ્ય ના અભાવ તે કૈવલનાવરણીય કહેવાય છે. વળી સહેલાઈથી જાગી શકાય તે નિદ્રા, કવડે જાગી શકાય તે નિદ્રા નિદ્રા, એઠાં બેઠાં અથવા ઉભા રહેતાં નિદ્રાના ઉદય થાય તે પ્રચલા અને ચાલતાં નિદ્રાના ઉદ્દય થાય તે પ્રચલા પ્રચલા, પ્રમત્ત અવસ્થામાં અÖચક્રી સમાન ખળની પ્રાપ્તિ થાય તે શ્રીહિદનાવરણીય ક` કહેવાય છે. પૂર્વોક્ત બંને કર્મની પરિસ્થિતિ વધારેમાં વધારે ત્રીશ ક્રાડાક્રેાડ સાગરોપમની છે. આ કા બંધ આંધળાં બહેરા વિગેરે અપંગ મનુષ્યેાના તિરસ્કાર કરવાથી સહજ પ્રાપ્ત થાય છે અને વિશેષ કરીને તેા અને કર્માનું ઉપાર્જન નીચેની ગાથાથી ગ્રાહ્ય થશે. पडिणियत्तण निन्हव उवघायपउस अंतरायेण । आवरण दुगंजिउज्जयइ ॥ अच्चा सायणयाए Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy