________________
-
- ની
જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ જ
[૩] દીધું છે. વસ્તુસ્થિતિ આમ હોઈ છે. જોકેબી, મેક્સમૂલર અને બીજા ગણ્યા ગાંઠ્યા વિદ્વાનોને બાદ કરતાં બાકીના તમામ પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન દર્શન સંબંધમાં અનેક હસવા લાયક કલ્પનાઓ કરી છે, અને અનેકના હાથમાંથી પસાર થતાં છેવટે વસ્તુદર્શન કેવા રૂપ ઉપર આવી જાય છે, તેને એક વિચિત્ર નમુનો રજુ કર્યો છે. કેટલાકે એ જણાવ્યું છે કે જૈન ધર્મના દરેક અનુયાયીએ આપઘાત કરવો જ જોઈએ, એવું તેના પ્રવર્તકનું ફરમાન છે.
વળી બીજા વિદ્વાનોએ જૈન એ ઝીણા જંતુઓને ઉછેરવાનું સ્થાન છે, એમ અભિપ્રાય આપે છે. આ રીતે અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ હાસ્યજનક ફેંસલો સંભળાવ્યા છે. કેઈ વિદ્વાનોએ જૈનને બૌદ્ધ ધર્મની એક શાખા તરીકે, તો કોઈએ નાસ્તિકવાદી તરીકે, તે કોઈએ વૈદિક ધર્મના અંકુર તરીકે ગણી કાઢેલે છે. કેઈ વિદ્વાન તો કહે છે કે જૈનમાં તત્ત્વજ્ઞાન કશું જ નથી, માત્ર ક્રિયામાર્ગ છે. વળી એવા અભિપ્રાયની સાથે પણ અથડામણ થાય છે કે જેનામતની ઉત્પત્તિ શંકરાચાર્યની પછીની છે. લાલા લજપતરાય જેવા દેશ હિતૈષીએ પણ જૈન દર્શનનો ઐતિહાસિક વિભાગ તપાસ્યા વગર ભારતવર્ષક ઇતિહાસમાં “જૈન લેગ યહ માનતે હા કિ જૈન ધર્મ કે મૂળ પ્રવર્તક શ્રી પાર્શ્વનાથ થે” વગેરે અજ્ઞાનતા મૂલક હકીકતો બહાર પાડેલી છે.
જૈન અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના કેટલાક પારિભાષિક શબ્દ અને કર્મકાંડની કેટલીક વિધિઓ સમાન હોવાથી જેનને બૌદ્ધની શાખા હોવાનું અનુમાન ઉપરોક્ત વિદ્વાનોએ કર્યું હોય તેમ સંભવે છે. પરંતુ છે. જે કેબી જેવા જૈનદર્શનના અભ્યાસીએ જૈનદર્શન સ્વતંત્ર ધર્મ છે તેવું અનેક પ્રમાણથી સિદ્ધ કર્યું છે. પ્રો. મેક્સમૂલરે ઈ. સ. પૂર્વે ૪૭૭ વર્ષે બુદ્ધ નિર્વાણ કાળ જણાવેલ છે અને જેના કલ્પસૂત્ર અનુસારે ઈ. સ. પૂર્વે પર૭ વર્ષ જૈનેના ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ થયાને કાળ મુકરર થએલે છે. આ સંબંધમાં જેન અને બૌદ્ધ ધર્મ સંબંધમાં જે ભિન્નતાઓ રહેલી છે–તે સંક્ષિપ્તમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org