SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪]. ગણધરવાદ [ગણધર આવરણના ક્ષય–ક્ષપશમથી આત્મામાં વિચિત્ર જ્ઞાનો ઉપન્ન થાય છે. તે પર્યાયરૂપે ક્ષણિક હોય છે અને દ્રવ્યરૂપે કાલાન્તર સ્થાયી-નિત્ય પણ હોય છે. (૧૬૮૦). એ બધાં જ્ઞાનને સંતાન જે સામાન્યરૂપ છે તે નિત્ય છે, તેને વ્યવછેદ કરી થતો નથી; પણ સામગ્રી અનુસારે તેમાં નાના પ્રકારની વિશેષતા આવે છે, તેથી જ્ઞાનના અનેક અવસ્થાનુરૂપ ભેદ પડે છે–વિશેષ બને છે. પણ જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી જે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં ભેદોને સ્થાન નથી તેથી તે અવિકલ્પ કહેવાય છે અને તે સદા કેવલરૂપ અસહાયરૂપે અનન્ત કાલ રહેતું હોવાથી અને અનત વસ્તુને વિષય કરતું હોવાથી અનત પણ કહેવાય છે. (૧૬૮૧) વાયુભૂતિ–જે આત્મા શરીરથી ભિન્ન હોય તે તે શરીરમાં પ્રવિષ્ટ થતે અગર શરીરમાંથી બહાર નીકળતે દેખાતે કેમ નથી ? ભગવાન–કોઈપણ વસ્તુની અનુપલબ્ધિ બે પ્રકારે માનવામાં આવી છે. એક તો એ કે જે વસ્તુ ખરશૃંગાદિની જેમ સર્વથા અસત હોય તે વિદ્યમાન છતાં કદી ઉપલબ્ધ થતી નથી. અને બીજી એ કે વસ્તુ સત અનુપલબ્ધિનાં હાય-વિદ્યમાન હોય છતાં નીચેનાં કારણે તેની અનુપલબ્ધિ કારણે હોય છે૧. અતિ દૂર હય, જેમ મેરુ વગેરે. ૨. અતિ નજીક હોય, જેમ નેત્રની પાંપણે. ૩. અતિ સૂક્ષમ હેય, એમ પરમાણ. ૪. મન અસ્થિર હોય તે પણ વસ્તુનું ગ્રહણ નથી થતું, જેમ બેધ્યાનપણે ચાલનારને. પ. ઈન્દ્રિયોમાં પટુતા ન હોય-જેમ કિંચિત્ બધિરને, ૬. મતિમન્થથી પણ ગંભીર અર્થનું જ્ઞાન નથી થતું. ૭. અશક્યતાથી–જેમ પિતાના કાનનું, મસ્તકનું કે પીઠનું દર્શન અશક્ય છે. ૮. આવરણ હોય તે–જેમ આંખને હાથથી ઢાંકી દેવામાં આવે તો તે કશું જ જેવા સમર્થ થતી નથી, અથવા ભીત વગેરેથી અન્તરિત વસ્તુ પણ દેખાતી નથી. ૯ અભિભવને કારણે—જેમ ઉત્કટ સૂર્યતેજથી તારાઓ અભિભૂત થઈ જાય છે તેથી દેખાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy