SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] ગણધરવાદ [ગણધર અથવા, જ્યાં જેની ઉપલબ્ધિ પ્રમાણસિદ્ધ નથી અર્થાત્ જે જ્યાં પ્રમાણથી અનુપલબ્ધ છે ત્યાં તેને અભાવ માનવા જોઈએ; જેમ ભિન્ન એવા ઘટમાં પટના અભાવ છે. શરીરની બહાર સંસારી આત્માની અનુપલબ્ધિ હાવાથી તેનેા પણ શરીરથી બહાર અભાવ માનવા જોઈ એ. (૧૫૮૬) એટલે જીવમાં કતૃત્વ, ભાકતૃત્વ, મધ, મૈાક્ષ, સુખ અને દુ:ખ તથા સસાર એ અધું જો તેને અનેક—નાના અને અસવગત-શરીરવ્યાપી માનવામાં આવે તેા જ યુક્તિસગત થાય છે. માટે જીવને અનેક અને અસગત માનવા જોઈએ. (૫૧૮૭) ઇન્દ્રભૂતિ—આપની યુક્તિએ સાંભળીને જીવ વિશેના સંદેહ હવે હું છોડવા ચાહું જ છું; પણ પેલુ ‘વિજ્ઞાનપન વ તેમ્યઃ' ઇત્યાદિ વેદવાકય મારી સામે આવે છે અને મને પાછે સંદેહમાં મૂકી દે છે કે જો જીવ યુક્તિસિદ્ધ હોય તેા પછી વેદમાં શા માટે એમ કહેવામાં આવ્યુ' ? ભગવાન—ગૌતમ! તુ' એ વેદપદોના સમ્યગ્ અથ જાણતા નથી, એટલે જ તું એમ માને છે કે પદ્મનાં અંગેા અર્થાત્ કારણેાના સમુદાય માત્રથી જે વિજ્ઞાનઘન સમુદ્ભૂત થાય છે, એ વિજ્ઞાન માત્ર આત્મા છે. એથી અતિરિક્ત કેાઈ આત્મા નથી, જે પરલેાકથી આવતા હોય; અને પાછે તે વિજ્ઞાનરૂપ આત્મા ભૂતાનેા નાશ થઈ જાય છે ત્યારે વિનષ્ટ થઈ જાય છે તેથી તે પરલેાક કે પરભવમાં જતા પણ નથી; એટલે એ જીવ પૂર્વભવમાં અમુક હતા ને ત્યાંથી આ જન્મમાં આળ્યે, તેમ જ તે જીવ અહી થી મરી આવતા જન્મમાં અમુકરૂપે થશે એવી કેાઈ જન્મજન્માંતરમાં એક જીવવ્યક્તિનું અસ્તિત્વ સૂચવતી પ્રેત્યસ’જ્ઞા—પરલેાકવ્યવહાર નથી; અર્થાત્ એમ નથી કહેવાતુ' કે અમુક પ્રથમ નારક કે દેવ હતા પણ હવે મનુષ્ય થયા છે. તે વેદવાકયના તુ' તાત્પર્યા એમ સમજે છે કે જીવ એક ભવથી બીજા ભવમાં જતા નથી, કારણ કે તે ભૂતસમુદાયથી નવા જ ઉત્પન્ન થાય છે અને સમુદાયના નાશ સાથે નષ્ટ પણ થઈ જાય છે. (૧૫૮૮-૯૦) વેદવાકયને સગતાથ હે ગૌતમ! ઉક્ત વેદવાકયના તુ' ઉપર પ્રમાણે શબ્દાર્થ કરે છે એટલે જ તને એમ લાગે છે કે જીવ છે જ નહિ, પણ વેદનાં જ રત હૈં મૈં સારીરક્ષ્ય ઇત્યાદિ ખીજા વાકયોમાં જીવતુ' અસ્તિત્વ ખતાવવામાં આવ્યું છે. અને વળી, નિદેત્ર ગુડ્ડયા ” ૧. જુએ ગાથા ૧૫૫૩ની વ્યાખ્યા. ૨, ગાથા ૧૫૫૩ની વ્યાખ્યા જુએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy