SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ તેમાં પાંચ દેવનિકા છે-કુમુદ, ઋભુ, પ્રતર્દન, અંજનાભ, પ્રચિતાભ બ્રહ્માના પ્રથમ જનલોકમાં ચાર દેવનિકા છે-બ્રહ્મપુરોહિત, બ્રહ્મકાયિક, બ્રહ્મમહાકાયિક, અમર. બ્રહ્માના દ્વિતીય તપલોકમાં ત્રણ દેવનિકા છે-આભાસ્વર, મહાભાસ્વર, સત્યમહાભાસ્વર. બ્રહ્માના તૃતીય સત્યલોકમાં ચાર દેવનિકા છે-અચુત, શુદ્ધનિવાસ, સત્યાભ, સંડાસની. આ બધા દેવલોકમાં વસનારનું આયુ દીર્ઘ છતાં પરિમિત છે અને તેઓને પણ કર્મક્ષય થયે ફરી નો જન્મ ધારણ કરવો પડે છે. વૈદિક અસુરાદિ સામાન્ય રીતે દેવ અને મનુષ્યોના જે શત્રુઓ હતા તેમને વેદમાં અસુર, રાક્ષસ, પિશાચ, આદિ નામથી ઓળખાવવામાં આવ્યા છેજેમકે પણિ અને વૃત્ર એ ઈન્દ્રના શત્રુઓ હતા. દાસ અને દસ્યુ એ આર્ય પ્રજાના શત્રુઓ હતા, પણ દસ્ય શબ્દને પ્રયાગ અન્તરિક્ષના દૈત્ય કે અસુરોના અર્થમાં પણ કરવામાં આવ્યું છે અને દયુઓને પણ વૃત્ર નામથી ઓળખાવવામાં આવ્યા છે. સારાંશ એ છે કે ત્ર, પણિ, અસર, દશ્ય, દાસ નામની કેટલીક જાતિઓ હતી તેમને રાક્ષસે, દે, અસુરે કે પિશાચન રૂપ કાલાંતરે મળી ગયું છે. અને તેમને નાશ કરવા માટે વૈદિક કાલના લોકે દેવોને પ્રાર્થના કરતા હતા. નરક વિશે ઉપનિષદો એ તો આગળ કહેવાઈ ગયું છે કે ઋગ્લેદકાલના આર્યોએ પાપી પુરુષ માટે નરકસ્થાનની કલ્પના કરી નથી, પણ ઉપનિષદોમાં પાપી માટે નરક જેવા સ્થાનની કલ્પના કરી છે. તે કયાં છે એ બાબતને ખુલાસે નથી મળતો. પણ તે લેક અન્ધકારથી આવૃત છે અને તેમાં આનંદનું નામ પણ નથી. એ લોકમાં અવિદ્યાના ઉપાસકે મૃત્યુ પછી સ્થાન પામે છે. આત્મઘાતકેને માટે પણ એ જ સ્થાન છે, અવિદ્વાનને માટે પણ તે જ મૃત્યુ પછીની સ્થિતિ છે. વળી જે લોકે ઘરડી ગાયોને દાનમાં દે છે તેઓની પણ એજ ગતિ છે, એમ મનાયું હતું. તેથી જ નચિકેતા જેવા સુપુત્રને પોતાના પિતા. જેઓ ધરડી ગાયોનું દાન કરતા હતા તેમના ભવિષ્યના વિચારે દુઃખી કર્યો હતો અને તે વિચારતો હતો કે મારા પિતા એ ઘરડી ગાયને બદલે મારું જ દાન શા માટે નથી કરી દેતા ૨૧ એવા અંધકારમય લેકમાં જનાર છ સદાને માટે ત્યાં જ રહે છે કે ત્યાંથી તેમને નિસ્તાર પણ છે–એ બાબતમાં ઉપનિષદોમાં કશો જ ખુલાસે નથી. પિરાણિક નરક નરક વિશે પૌરાણિક કાળની વૈદિક પરંપરામાં કેટલીક વિશેષ હકીકત મળે છે તેની તુલના બૌદ્ધ અને જૈન મત સાથે કરીએ છીએ તે જણાય છે કે એ ત્રણે પરંપરાઓમાં એ વિચારણા પ્રાયઃ સરખી જ છે. ગદર્શન વ્યાસ ભાગ્યમાં સાત નરકનાં નામ આ પ્રમાણે છે-મહાકાલ, અબરીષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર, અબ્ધતામિસ્ત્ર અને અવચિ. પોતે કરેલ કર્મોનાં કટુ ફળ એ નરકમાં છને મળે ૧. કઠ૦ ૧, ૧, ૩, બહદાવ ૪:૪. ૧૦-૧૧, ઈશ ૩, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy