________________
૧૩૦
છે એમ સાંખ્યોએ પણ માન્યું છે. નાયિક-વૈશેષિકાએ આત્મા અને ધર્માંધના સબંધ એ સ ંયોગ માત્ર નથી પણ સમવાય છે એમ જે માન્યુ છે તેનું પણ કારણ એ જ છે કે તે બન્ને એકીભૂત જેવાં છે, પૃથક્ કરીને બતાવી શકાતાં નથી, માત્ર લક્ષણભેદે પૃથક્ સમજી શકાય છે.
આત્માની પ્રવૃત્તિમાં યોગવ્યાપારમાં જેટલી કષાયની માત્રા હાય છે તેને અનુરૂપ ક વિપાકને કાળ અને સુખ–દુ:ખ વિપાકની તીવ્રતા-મદતા ગૃહીત પરમાણુમાં નક્કી થાય છે. આને ક્રમશઃ સ્થિતિબધ અને અનુભાગબંધ કહેવામાં આવે છે. કષાયની માત્રા ન હોય તેા ક પરમાણુ આત્મા સાથે સંબદ્ધ રહી શકતા નથી માત્ર સૂકી ભી ંતે જેમ ધૂળ ચોંટતી નથી પણ તેને સ્પર્શ કરીને અલગ થઈ જાય છે, તેમ આત્મામાં પણ જો કષાયની ચીકાશ ન હોય તે! કમ પરમાણુ સંબદ્ધ રહી શકતા નથી અને સંબદ્ધ ન હોય તે પછી અનુભાગ એટલે કે વિપાક પણ દઈ શકતા નથી. યાગદર્શીનમાં જે કલેશ વિનાના યોગીને અશુક્લાકૃષ્ણ કર્મ માનવામાં આવ્યું છે તેની પણ મતલબ એ જ છે અને બૌદ્ધોએ અહું તને ક્રિયા ચેતનાના સદ્ભાવમાં કમ ને! જે અસ્વીકાર કર્યાં છે. તેના ભાવ પણુ એ જ છે કે વીતરાગને નવાં કર્મોના બંધ નથી. જૈના જેને ઇર્ષ્યાપથ અથવા અસાંપરાયિક ક્રિયા કહે છે તને બૌદ્ધો ક્રિયાચેતના
કહે છે.
કર્મીના ઉક્ત ચારે પ્રકારના બંધ થયા પછી પણ તરત જ ક ફળ દેવુ શરૂ કરે એમ નથી, પણ અમુક સમય સુધી ફળ-દેવાની યાગ્યતાનું સપાદન કરે છે. જેમ ચૂલે ચડાવતાં વેંત જ કાઈ પણ ચીજ પાકી જતી નથી, જેવી વસ્તુ તે પ્રમાણુમાં તેના પાક થતાં વાર લાગે છે, તે જ પ્રમાણે વિવિધ કતે પણ પાકકાલ એકસરખા નથી; ક*ના એ પાકયેાગ્યતા-કાળને જૈન પરિભાષામાં આખાવા કાળ’ કહેવામાં આવૈ છે. જ્યારે કમને એ આબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી જ કર્મ ફળ દેવાનું શરૂ કરે છે, એને કર્મોના ઉદય કહેવામાં આવે છે. કમની સ્થિતિ જેટલી બંધાઈ હેાય તે દરમિયાન કર્મોના પરમાણુએ ક્રમશઃ ઉદયમાં આવે છે અને ફળ આપીને આત્માથી છૂટા પડી જાય છે. એને કમ ની નિર્જરા કહેવામાં આવે છે. જ્યારે બધાં કર્યાં આત્માથી છૂટાં થઈ ાય છે ત્યારે જીવના મેાક્ષ કહેવાય છે.
આ પ્રમાણે કર્મ બંધક્રિયા અને કર્મ ફુલપ્રક્રિયાની સામાન્ય રૂપરેખા છે. એની બારીકીએમાં જવાનું આ સ્થાન નથી.
કનુ` કા` અથવા ફળ
કનું સમુચ્ચય રૂપે કા તા એ છે કે જ્યાંસુધી કર્મ બંધ હોય ત્યાંસુધી જીવને મેાક્ષ થતે નથી. સમસ્ત કર્મની જ્યારે નિરા થઈ જાય ત્યારે જીવના મેાક્ષ થાય છે. કર્મની જે આઠ મૂલ પ્રકૃતિ છે તે આ છે-
Jain Education International
૧ જ્ઞાનાવરણુ ૨૬ નાવરણ ૩ મેાહનીય
૪ અન્તરાય
For Private & Personal Use Only
૫ વેદનીય
૬ આયુ
૭ નામ
૮ ગાત્ર
www.jainelibrary.org