SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ આ પ્રમાણે ઉપનિષદના કાળમાં પણ વિદિક પરંપરામાં કર્મ-અદષ્ટ સિદ્ધાન્ત એ જે કેન્દ્રસ્થ સર્વમાન્ય તત્વ ન હોય તે કઈ પરંપરામાંથી એ વિચાર વૈદિક પરંપરામાં ગમે તે શોધવું બાકી રહે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આર્યોએ ભારતના આદિવાસીઓ(Primitive people) પાસેથી એ વિચાર લીધે હશે. વિદ્વાનોની એ માન્યતાને નિરાસ પ્રો. હિરિયનાએ એમ કહીને કર્યો છે કે એ આદિવાસીઓના-અત્મા મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે-એ સિદ્ધાન્ત એક માત્ર વહેમ(Superstition) હતા એટલે તત્ત્વતઃ તેમના એ વિચારને તાર્કિક ન કહી શકાય. પુનર્જન્મના સિદ્ધાતમાં તો મનુષ્યની તાર્કિક અને નૈતિક ચેતનાને સંતોષ આપવાનું ધ્યેય છે. મનુષ્યના જીવ મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે એ આદિવાસીઓની માન્યતા કેરી વહેમ કહી કાઢી નાખવા જેવી નથી, જે કર્મનો સિદ્ધાન્ત વૈદિકાને દેવવાદમાંથી ઉપનિષદ પહેલાં ફલિત નથી થઈ શકતા એ જ કર્મવાદનાં મૂળ આદિવાસીઓની ઉક્ત માન્યતા સાથે સહજ રીતે સંકળાયેલ છે. એની પ્રતીતિ ત્યારે જ થાય છે જ્યારે જૈનધર્મ સંમત છવવાદ અને કર્મવાદનાં ઊંડા મૂળ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જૈન પરંપરા-એનું પ્રાચીન નામ ગમે તે હોય પણ તે ઉપનિષદેથી સ્વતંત્ર અને પાચીન છે એમાં તે શક કરવો જ ન જોઈએ. અને તેથી ઉપનિષદમાં કર્મવાદને જે વિચાર નો પ્રસ્ફટિત થયું છે તે જૈનોને કર્મવાદની અસરથી રહિત હોય એમ માનવાને કશું જ કારણ નથી, જે વૈદિક પરંપરાને દેવ વિના એક ડગલું પણ ચાલતું નહિ એ જ વૈદિક પરંપરાને જ્યારે એ કર્મવાદને સિદ્ધાન્ત હાથ આવ્યું ત્યારે તેણે દેવોને સ્થાને યજ્ઞકર્મને બેસાડી દીધું અને માન્યું કે દેવોમાં નહિ પણ સ્વયં યજ્ઞકર્મમાં જ ફલ દેવાની શકિત છે. દેવ કઈ નહિ પણ વેદના મંત્ર એ જ દેવો છે. અને એ યજ્ઞકર્મના સમર્થનમાં જ પિતાને કૃતકૃત્ય માનતી દાર્શનિક કાળની મીમાંસક પરંપરાએ તે અનાદિકમથી ઉત્પન થનાર અપૂર્વ નામને પદાર્થની કલ્પના કરીને વૈદિક દર્શનમાં દેવોને બદલે અદષ્ટ કર્મનું જ સામ્રાજ્ય સ્થાપી દીધું. આ આખો ઇતિહાસ જે આપણે નજર સામે રાખીએ તે જૈન ૫ર પરાના કર્મવાદની ઊંડી અસર વૈદિકમાં જે છે તે સ્પષ્ટ થાય છે. વેદ અને ઉપનિષદ સુધીની જે સૃષ્ટિ પ્રક્રિયા વૈદિક ૫ર ૫રાને માન્ય છે તે અનુસાર જડ અને ચેતન સૃષ્ટિ અનાદિ નહિ પણ સાદિ છે અને તે પણ કોઈ એક કે અનેક જડ કે ચેતન તત્વમાંથી ઉત્પન થઈ છે એમ મનાયું હતું. પણ તેથી વિપરીત કર્મના સિદ્ધાંત પ્રમાણે જડ કે જીવસૃષ્ટિ અનાદિ કાળથી જ ચાલી આવે છે એમ માનવું પડે છે. આ માન્યતા જૈન પરંપરાને મૂળમાં છે. જેને પરંપરા પ્રમાણે એ કઈ સમય કપી શકાતો નથી કે જ્યારે જડ-ચેતનનું અસ્તિત્વ-કર્માનુસારી અસ્તિત્વ-ન હોય, એટલું જ નહિ, પણ ઉપનિષદ પછીની બધી વૈદિક પરંપરામાં પણ સંસારી જીવનું અસ્તિત્વ એ જ પ્રમાણે અનાદિ માનવામાં આવ્યું છે તે પણ કર્મતત્વની માન્યતાને જ આભારી છે. કર્મતત્વની ચાવી જમનું કારણ કમ છે એ સૂત્રમાં મળે છે, અને એ સિદ્ધાન્તને આધારે જ જીવેના સંસારને અનાદિ ૧. એના ઉલેખ અને નિરાસ માટે જુઓ હિરિયન્ના-આઉટલાઈન્સ ઓફ ઈન્ડિયન ફિલસફી પૃ. ૭૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy