SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧o૯ બૌદ્ધોને મતે સંપાદિસેસ નિર્વાણ અને અનુપાદિસેસ નિર્વાણ એ ક્રમશ: જીવ-મુક્તિ અને વિદેહમુક્તિનાં નામો છે. ઉપાદિ એટલે પાંચ સ્કંધ એ જ્યાં સુધી શેષ-બાકી હોય ત્યાંસુધી “સંપાદિસેસ નિર્વાણ” કહેવાય છે અને જ્યારે એ સ્કંધને નિરોધ થઈ જાય ત્યારે “અનુપાદિસેસ નિર્વાણ” કહેવાય છે.' ન્યાય-વૈશેષિકસાંખ્ય-ગને મને પણ જીવન્મુક્તિને સંભવ છે. જે વિચારકે જીવન્મુકિતનો સ્વીકાર નથી કરતા તેમને મતે આત્મસાક્ષાત્કાર થતાં જ સમસ્ત કર્મો ક્ષીણ થઈ જાય છે અને આત્મા વિદેહ થઈ મુકત બને છે. તેથી ઊલટું, જે જીવન્મુકિત સ્વીકારે છે તેમને મતે આત્મસાક્ષાત્કાર થયા છતાં કર્મો તેના કાળે જ ફળ આપીને ક્ષીણ થાય છે, તત્કાળ નહિ. આમ હોવાથી આત્મા પ્રથમ જીવન્મુકત બને છે, પછી જ કાલાન્તરે શેષ સંસ્કાર ક્ષીણ થયે વિદેહમુક્ત બને છે, (મા) કર્મ વિચાર આખા ગણધરવાદમાં કર્મને વિચાર અનેક પ્રસંગે કરવામાં આવ્યું છે. બીજા ગણધર અગ્નિપતિએ તો તેના અસ્તિત્વને જ પ્રશ્ન ઉઠાવ્યા છે અને ભગવાને કર્મનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે અને તે પ્રસંગે કર્મ અદષ્ટ છે, મૂર્ત છે, પરિણમી છે, વિચિત્ર છે, અનાદિ સંબદ્ધ છે, ઇત્યાદિ વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. પાંચમાં ગણધર સુધર્મા સાથેની ચર્ચા આ લોક અને પરલોકના સાદસ્યવસાદસ્ય વિશે છે. તે પ્રસંગે પણ આ લોક હોય કે પરલોક હેય, પણ તેના મૂળમાં કર્મ છે, અને સંસાર કર્મમૂલક જ છે, એ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા ગણધર સાથેની ચર્ચા બંધ-મેક્ષ વિશે છે એટલે તેમાં પણ જીવને કર્મ સાથે બંધ અને તેને કમથી છુટકારો એની જ ચર્ચા છે. એટલે તે પ્રસંગે પણ કમની સામાન્ય ચર્ચા ઉપરાંત જીવ પહેલ કે કમં પહેલું એ વિષયની ચર્ચા કરીને કહ્યું છે કે બને અનાદિ છે. નવમા ગણધર સાથેની ચર્ચામાં પુણ્ય પાપ એ મુખ્ય વિષય છે એટલે શુભ કર્મ અને અશુભ કર્મના અસ્તિત્વની ચર્ચા મુખ્ય છે. આ પ્રસંગે તે ફરી પાછા અનેક વિષયે જે બીજા ગણધરની ચર્ચા પ્રસંગે ચર્ચાઈ ગયા હતા તેની પુનરાવૃત્તિ કરવા ઉપરાંત કર્મસંબદ્ધ અનેક નવી બાબતોની ચર્ચા થઈ છે; જેવી કે, કર્મના સંક્રમને નિયમ, કર્મગ્રહણની પ્રક્રિયા, કર્મનું શુભાશુભ રૂપે પરિણમન, કર્મના ભેદ, ઇત્યાદિ. દશમ ગણધરે પરલોક સંબંધી ચર્ચા કરી છે તેમાં પણ કર્માધીન પરલોક છે એ વસ્તુ સ્વીકૃત છે અને અંતિમ ગણધર સાથેની નિર્વાણચર્ચામાં પણ અનાદિ કર્મસંગને નાશ એ નિર્વાણ એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ રીતે અનેક ગણધરો સાથેના વાદમાં કર્મચર્ચા સાક્ષાત વિવિધ રૂપે આવી છે. અને ચોથા ગણધરની ચર્ચામાં શુન્યવાદના પ્રકરણમાં પણ આડકતરી રીતે કર્મચર્ચાને સંબંધ છે જ, કારણકે તેમાં મુખ્યરૂપે ભૂતાનો નિરાસ શુન્યવાદીઓ કરે છે. કર્મ એ જૈનમને ભૌતિક છે એટલે એ ચર્ચા સાથે પણ આડકતરી રીતે કર્મચર્ચા સંકળાયેલી છે. સાતમાં અને આઠમાં ગણધરોની ચર્ચામાં ક્રમશઃ દેવ અને નારકની ચર્ચા છે તેમાં પણ શુભ કર્મ અને અશુભ કર્મના ફળરૂપે જ દેવત્વ અને નારકત્વ ક્રમશઃ પ્રાપ્ત થાય છે એમ ૧. વિશુદ્ધિમગ ૧૬. ૭૩ ૨,ન્યાયભાષ્ય ૪. ૨.૨ ૩ સાંખ્યકાર ૬૭; ગભાષ્ય ૪, ૩૦ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy