SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૭ ચેતન માનવાની બાબતમાં તેઓને કંઈ પણ દાર્શનિકે સાથે મતભેદ છે જ નહિ. માત્ર જ્ઞાનની પરિભાષા તૈયાયિકાની જદી છે તેથી તેઓએ ચૈિતન્યને જ્ઞાન શબ્દથી પ્રતિબંધ કરવાનું ઉચિત માન્યું નથી. વેદાન્તીઓ તો જ્યારે વધારે સૂક્ષ્મ વિચાર કરવા લાગ્યા ત્યારે એ રૌતન્યને “મૈતન્ય” એવા શબ્દથી પણ કહેવા તૈયાર ન થયા અને માત્ર “નેતિ નેતિ” કહી તેનું વર્ણન કર્યું. એવું જ બીજાં દર્શનોએ પણ કર્યું છે તે કહેવાઈ જ ગયું છે. ભાષાની શક્તિ એટલી મર્યાદિત છે કે તે પરમ તત્વના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરી શકે જ નહિ, કારણકે વિચારકોએ તે તે શબ્દથી પરિભાષા અનેક પ્રકારે કરી છે એટલે તે તે શબ્દોને પ્રયોગ કરવા જતાં વસ્તુનું સ્પષ્ટીકરણ થવાને બદલે ગોટાળો જ વધે છે. શકિત તત્વને મુકતાત્મામાં પૃથફરૂપે સ્વીકાર કર્યા છતાં તે શક્તિ એ શું છે એને જ્યારે વિચાર થવા લાગ્યો ત્યારે આચાર્યોએ કહી દીધું કે અનન્ત જ્ઞાન એ શક્તિ વિના સંભવે નહિ, માટે શક્તિને સમાવેશ જ્ઞાનમાં જ કરી લેવો જોઈએ.' (૩) મુકિતસ્થાન જે દર્શનોએ આત્માને વ્યાપક માને છે તેઓને મતે મુક્તિસ્થાનની કલ્પના અનાવશ્યક હતી. આમા ક્યાં છે ત્યાં જ છે; માત્ર તેમાં જે મલ હોય છે તે છૂટી જાય છે, તેને અન્યત્ર જવાની જરૂર નથી. વળી સર્વવ્યાપી હોવાથી ગમન કરીને જાય પણ કયાં ? પરંતુ જૈન દર્શન અને બૌદ્ધ દર્શન, અને જીવાત્માને અણુ માનનારાં ભક્તિમાર્ગી વેદાન્તદશનેની સામે મુક્તિસ્થાનને પ્રશ્ન ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. જેનાએ ઊર્ધ્વ લેકના અગ્રભાગમાં મુકતાત્માનું ગમન થાય છે અને સિદ્ધશિલા નામના ભાગમાં અવસ્થિતિ સદાને માટે થાય છે તેમ માન્યું છે. ભક્તિમાર્ગો વેદાતીઓએ વિષ્ણુભગવાનના વિષ્ણુ લોકમાં જે ઊર્વક છે ત્યાં મુક્ત જીવાત્માનું ગમન સ્વીકાર્યું છે અને પરબ્રહ્મરૂપ ભગવાન વિષ્ણુનું સદાકાળ સાંનિધ્ય તેમને રહે છે તેમ માન્યું છે. બૌદ્ધોએ આ પ્રશ્નનું જુદી જ રીતે નિરાકરણ કર્યું છે. તેમને મતે જીવ-પુદગલ એ શાશ્વત દ્રવ્ય છે નહિ એટલે પુનર્જન્મ વખતે પણ પણ તેઓએ એક જીવનું અન્યત્ર ગમન નહિ, પણ એક સ્થાનમાં એક ચિત્તને નિરોધ અને તેની અપેક્ષાએ અન્યત્ર નવા ચિત્તની ઉત્પત્તિ સ્વીકારી છે. એ સિદ્ધાંતને અનુરૂપ જ મુકત ચિત્તની બાબતમાં પણ સિદ્ધાન્ત સ્થિર થાય એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. રાજ મિલિન્દ આચાર્ય નાગસેનને પૂછયું કે પૂર્વાદિ દિશાઓમાં એવું કયું સ્થાન છે જેની સંનિધિમાં નિર્વાણ છે. આચાર્યે જવાબ આપ્યો કે નિર્વાણસ્થાન એ દિશામાં કયાંય પણ નિશ્ચિત નથી, જ્યાં મુકતાત્મા જઈને રહે. તે પછી નિર્વાણ કયાં મળે? જેમ રત્ન સમુદ્રમાં, ગંધ પુષ્પમાં, ધાન્ય ક્ષેત્રમાં-એમ તે તે વસ્તુનાં નિયત સ્થાન છે તો પછી નિર્વાણનું પણ નિયત સ્થાન તે હોવું જ જોઈએ; અને જે તેવું સ્થાન તેનું ન જ હોય તો પછી એમ જ કહેને કે નિર્વાણ પણ નથી જ. ૧. સર્વાર્થસિદ્ધિ ૧૦. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy