________________
બીજી આવૃત્તિ પ્રસંગે
ઘણા જ ટૂંકા ગાળામાં “ચોવીશ તીર્થકર' પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, એમાં વાચકોનો આદર અને પ્રેમ દષ્ટિગોચર થયા વિના રહેતો નથી. - પ્રથમ આવૃત્તિમાં મેં ઉલ્લેખ કર્યો છે કે તીર્થકર ભગવંતોના ચરિત્રો લખવામાં કોણ શક્તિમાન હોઈ શકે ? ચરિત્ર લેખનમાં મેં તો માત્ર નમ્ર પ્રયાસ કર્યો છે. બીજી આવૃત્તિમાં થોડી માહિતી ઉમેરવામાં આવી છે જે વાચકોને ગમશે.
મને શ્રદ્ધા છે કે આપનો પ્રેમ અને આદર આ ગ્રંથને પ્રાપ્ત થશે.
સંવત : ૨૦૫૨ : સંવત્સરી કરણપરા, ધામી નિવાસ,
- વિમલકુમાર મોહનલાલ ધામી કિશોરસિંહજી રોજ, રાજકોટ - ૩૬૦૦૦૧ ત્રીજી આવૃત્તિ વખતે
“ચોવીસ તીર્થંકર' પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે ત્યારે મને હર્ષ થઈ રહ્યો છે. ગુજરાતી વાચકોએ આ પુસ્તકને પ્રેમ અને આદર આપ્યો છે તેની નોંધ લીધા વિના રહી શકતો નથી. નૂતન ત્રીજી આવૃત્તિને પણ એવો જ પ્રેમ અને આદર મળશે તેવી મારી શ્રદ્ધા અસ્થાને નહિ ગણાય...! સંવત ૨૦૫૬ : વસંતપંચમી
-- વિમલકુમાર મોહનલાલ ધામી ૩૮, કરણપરા, ધામીનિવાસ, I કિશોરસિંહજી રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org