________________
શ્રી મહાવીર સ્વામી
દત્તને શિક્ષા આપીને રાજ્ય પર બેસાડીને ઇન્દ્ર પોતાના સ્થાને જશે. દત્ત પૃથ્વીને અરિહંતના ચૈત્યથી વિભૂષિત કરશે. પાંચમા આરામાં લોકો મર્યાદારહિત ધર્મહીન બનશે. ત્યારે છઠ્ઠા આરામાં તેથી અધિક હાની થશે. આ ભારતક્ષેત્રમાં દુઃષમકાળમાં છેલ્લા દુઃપ્રસહ નામના આચાર્ય, ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. બે હાથ પ્રમાણ શરીર રહેશે. વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે. અને દુઃપ્રસહાદિ ચારેથી ઉત્કૃષ્ટ છઠ્ઠનો તપ બની શકશે. દશવૈકાલિક વેત્તા તે ચૌદ પૂર્વધારી જેવા ગણાશે. અને એવા મુનિઓ દુઃપ્રસહસૂરિ પર્યંત સંઘરૂપ તીર્થને પ્રતિ બોધ કરશે. દુઃપ્રસહાચાર્ય બાર વર્ષ ગૃહવાસમાં અને આઠ વર્ષ દીક્ષામાં નિર્ગમન કરીને છેવટે અઠ્ઠમ તપ કરીને મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં જશે.
ત્યારપછીનો સમય અતિ વિકટ અને ધર્મતત્ત્વ વગરનો બનશે. ભરત, ઐરાવત નામના દશે ક્ષેત્રમાં એવી જ રીતે પહેલા દુઃષમા અને પછી દુઃષમાકાળ બંને એકવીશ હજાર વર્ષ સુધી પ્રવર્તશે. અવસર્પિણીમાં પહેલો અને બીજો આરો હોય છે જેમ અંત્ય (છઠ્ઠો) અને ઉપાંત્ય (પાંચમો) બે આરા હોય છે.
૨૭૫
શ્રી વીર ભગવંતે કહ્યું ઃ તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં પહેલો અને બીજો આરો હોય છે. ઉત્સર્પિણીમાં દુઃષમદુઃષમાં કાળ (અવસર્પિણીમાં છઠ્ઠા જેવા પહેલા આરા) ને અંતે સર્વત્ર સુખમય વાતાવરણ સર્જાશે.
શ્રી વીર ભગવંતે ગૌતમ સ્વામીને જણાવ્યું કે ભારત ભૂમિ પર સાત કુલકરો થશે, જેમાં વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ તથા સંમુચિ. તેમાં પ્રથમ વિમલ વાહન જાતિ સ્મરણ જ્ઞાન વડે રાજ્યને માટે ગામો અને શહેરો વસાવશે. ગાય, હાથી અને અશ્વોનો સંગ્રહ કરશે અને શિલ્પ, વ્યાપાર, લિપિ અને ગણિતાદિ વ્યવહાર લોકોનાં ચલાવશે. લોકોને અન્ન રાંધીને ખાવાનો ઉપદેશ આપશે.
જ્યારે આ રીતે દુઃષમકાળ વ્યતીત થશે ત્યારે શતદ્વાર નામના નગરમાં સંમુચિ નામના સાતમા કુલકર રાજાની રાણી ભદ્રાદેવીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org