SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ જૈનધર્માંના પરિચય હિંદુધર્મ માં કાઈ પ્રવર્તક નથી પણ જૈનધર્મમાં છે. જૈનધર્મ સ્થાપેલ છે જ્યારે હિંદુધર્માં અનાદિકાળથી ચાલ્યેા આવેલા સનાતન ધર્મ છે, જૈનધમ ના ફેલાવામાં તીર્થંકરા અને જૈનાચાર્યોએ કાળા આપેલા છે. ભારતીય ધવિચારધારામાં એ પરંપરા જાણીતી છે, એક બ્રાહ્મણુ અને ખીજી શ્રમણુ. બ્રાહ્મણુ પરંપરાના વિકાસ બ્રહ્મન્ શબ્દની આસપાસ થયા જ્યારે શ્રમણુ પરંપરાના વિકાસ ‘“શ્રમ”ની આસપાસ થયા. અર્થાત્ સમાજની બધી વ્યક્તિને સરખા અધિકાર આપવાના આદેશ હતા. જ્યારે બ્રાહ્મણ ધર્માંમાં યજ્ઞ-યાગાદિ અને સ્તુતિ પ્રાર્થના વગેરે માટે બ્રાહ્મણાનું મહત્ત્વ ગણાતું. શ્રમણુ પરંપરા પ્રમાણે ધમ એ કાઈએક વ્યક્તિ કે સમાજના ઈજારા નથી, પરંતુ તે સમાજના દરેક માનવીને માટે સરખા અધિકારની ભાવના બતાવે છે. કોઈ પણ મનુષ્ય સ્વપુરૂષાર્થ વડે અ`તપદ કે તી" કરપદ મેળવી શકે છે. જીવનના આખરી ધ્યેયને સિદ્ધ કરવાને માટે અહિંસાને મુખ્ય સાધન ગણવામાં આવ્યું છે. શ્રમણુ પરંપરામાં ધભાવના, દન અને તત્ત્વજ્ઞાન અહિંસા શબ્દમાં વ્યક્ત થાય છે. બ્રાહ્મણુ પરંપરામાંથી વેદધર્માંનેા વિકાસ થયા જ્યારે અમણુ પરંપરામાંથી જૈનધર્મ અને બૌદ્ધધર્મના વિકાસ થયા છે. એક મત એવે છે કે બ્રાહ્મણ પરંપરા કરતાં શ્રમણપરંપરાની વિચારધારા ઘણી પ્રાચીન છે. તેની પ્રાચીનતા હડપ્પા સંસ્કૃતિ સુધી બતાવવામાં આવે છે. તેના પ્રવર્તામાં સૌ પ્રથમ રૂષભદેવ છે. જો કે રૂષભદેવ વિશે કાઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. તે અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા તેમ માની જૈનેા તેમને આદ્યતીથંકર ગણી માન આપે છે. જૈનધમ શ્રમધર્મ અને નિગ"થ સંપ્રદાયના નામે જાણીતા થયેલ છે, નિગ્રંથ શબ્દના એક અથ ગ્રંથિ વિનાના અને ખીજો અથ ધર્મોપદેશક થાય છે. આ નિ"થ સંપ્રદાયમાં જે આચાર્ય અને સંતા થયા તેમણે તપ દ્વારા પોતાનાં મન, વાણી અને કાયાને તદ્દન જીતી લીધાં હતાં. આવા મહાપુરૂષોને મનની દૃષ્ટિથી જિન” નામ આપવામાં આવ્યુ છે. જિન સ ંસ્કૃત ધાતુગ્નિ = જીવું ઉપરથી થયેલા છે. તેના અં જેણે રાગ, દ્વેષ આદિ સાષામાંથી પેાતાનુ” મન નિર્મળ કર્યુ છે અને મન, વચન અને કાયા ઉપર સંપૂર્ણ પણે કાબુ મેળવ્યા છે. આ જિને એ જે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy