________________
૫].
વડે પરમપદની પ્રાપ્તિ થાય છે. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષપ્રાપ્તિ થતી નથી; બન્ને મળીને મોક્ષમાર્ગ બને છે. આ ઉપર તને એક પુરાણી કથા કહું છું તે સાંભળ :
અગ્નિવેશ્ય નામના બ્રાહ્મણનો પુત્ર કારુણ્ય, વેદ-વેદાંગોનો અભ્યાસ કરી ઘેર આવ્યો. પણ ધર્મ-ક્રિયા કંઈ કર્યા વિના બેસી રહેતો. તેની તેવી સ્થિતિ જોઈ અગ્નિવેશ્ય પૂછ્યું : “ભાઈ, તું શું કરે છે ? ધર્મક્રિયા કેમ કરતો નથી? અને ધર્મ-ક્રિયા વિના આમ બેસી રહીશ તો મોક્ષે કેમ જઈશ ?” આવું પિતાનું કહેવું સાંભળી કારુણ્ય બોલ્યો : ___यावज्जीवमग्निहोत्रं नित्यं संध्यामुपासयेत् ।
प्रवृत्तिरूपो धर्मोऽयं श्रुत्या स्मृत्या च चोदितः ।। અર્થ ;-જીવન પર્યત અગ્નિહોત્ર કરવો, નિત્ય સંધ્યા કરવી એ પ્રવૃત્તિરૂપ ધર્મ શુતિ તથા સ્મૃતિએ કહ્યો છે.
न धनेन भवेन्मोक्षः कर्मणा प्रजया न वा । त्यागमात्रेण कित्वते यतयोऽश्नन्ति चामतम् ॥
અર્થ :-ધનથી, ક્રિયાથી કિંવા પુત્રાદિથી મોક્ષ થતો નથી. માત્ર ત્યાગથી મુનિએ મોક્ષ પામે છે,
આ પ્રમાણે બને શ્રુતિના અર્થ છે. તે હવે હું શું આરાધું ? આથી હું કંઈ ક્રિયા કરતો નથી. બીજું કોઈ કારણ નથી.”
આ સાંભળી અગ્નિવેશ્ય બોલ્યા : ભાઈ, આ ઉપર તને એક કથા કહું છું તે સાંભળી, તે ઉપર વિચાર કરી પછી તેને યોગ્ય લાગે તે કરજે –
જ્યાં કિનર નાના પ્રકારની ક્રીડાઓ કરે છે, જ્યાંથી ગંગાનો પ્રવાહ નીચે પડે છે એવા હિમાલયના શિખર પર સુરુચિ નામની એક અપ્સરા બેઠી હતી. તેણે આકાશમાર્ગે એક ઇન્દ્રદૂતને જતો જોયો; તેને ઉચ્ચ સ્વરે તેણે બોલાવ્યો અને પૂછયું : “હે દેવદૂત ! તું ક્યાંથી આવ્યો ? અને કયાં જવાનું છે?”
તે દેવદૂત બોલ્યો : “અરિષ્ટનેમિ રાજર્ષિ સર્વ રાજ્ય-ભાર પુત્રને સોંપી, પોતે ગંધમાદન પર્વત પર તપ કરે છે. ત્યાં કામ પ્રસંગે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org