________________
પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના
*
“રામાયણ, એ જગતમાં જેને જોટો મળતા નથી એવા અનન્ય સાહિત્યગ્રન્થ છે.” —સ્વામી વિવેકાનન્દ
બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિય-તૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહીં બતાવી શકો કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય.''
~~ મિચન્દ્ર
“સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યન્ત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનના અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે.
સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાની પુરુષનાં વચને)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તા પછી સામાન્ય મુમુક્ષુ જીવા કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે.
એમ છે તેપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્શાસ્ત્ર-વિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.” —શ્રીમદ્ રાજચન્દ્ર, શ્રાવણુ વ. ૧૨, ૧૯૫૩
“શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત-રસ-ગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રને પરિચય તે સદ્ભુતના પરિચય છે.”
“સશ્રુતના પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે.”
Jain Education International
—શ્રીમદ્ રાજચન્દ્ર, ૧૯૫૪
-
For Private & Personal Use Only
www.jainelibrary.org