SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ગ્રન્થયુગલ તા ગ્રંથકાર કહે છે કે આત્મ-અભાન અથવા આત્મા સંબંધી અયથાર્થ ૫ના કે ભ્રાંતિ. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” —શ્રીમદ્ રાજચ'દ્ર જ્ઞાન વિના તપ આદિ અન્યથા ઉપાય કરવાથી આત્મઅભાન કે ભ્રાંતિરૂપ રાગ, દુઃખ ટળે તેમ નથી. જે દેષથી રાગ ઉત્પન્ન થાય તે દોષ સમજાય નહીં ત્યાં સુધીના બધા ઉપાયા વ્યર્થ થાય છે, તેમ દુઃખની ઉત્પત્તિનું કારણ આત્મભ્રાંતિ છે એમ સમજાય, તે તેથી છૂટી સુખ કે મેાક્ષની ભાવના થાય અને મેાક્ષના ઉપાયરૂપ દવા પણ થાય. કર્મભાવ અજ્ઞાન છે, મેાક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન 66 પ્રકાશ. —શ્રીમદ્ રાજચંદ્ર આત્મ-ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું દુઃખ તીવ્ર તપથી પણ ન જાય, પણ આત્મજ્ઞાનરૂપ અચૂક ઉપાયથી તે ટળે છે. #6 કલેશે. વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.” -શ્રી ચશેાવિજયજી '' “ સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાના ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભ–પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું મળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું ખળ ઘટે છે. અસત્સંગનું ખળ ઘટવાથી આત્મવિચાર થવાના અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy