________________
સમાધિશતક-વિવેચન
૧૪૧
આ ભાવ આ ગાથામાં ગ્રંથકાર પ્રગટ કરે છે કે જે મહા મુનિને આત્મા અને દેહ ભિન્ન છે એવા વિવેકસાનથી પરમાનંદમય સુખ પ્રગટ્યું છે, તેમને પૂર્વનાં પાપની ઉદીરણ તપ દ્વારા થયે અસહ્ય દુઃખ ઉત્પન્ન થયેલું બીજા જીવે જુએ છે, પરંતુ તે મહા મુનિના અંતરમાં, તપથી મને દુઃખ આવી પડયું એમ માની કેઈ પ્રકારે ખેદ થતું નથી. પરમાનંદ જ્યાં વેદતો હોય, ત્યાં બેદને સંભવ નથી. તપ એ ઐચ્છિક પ્રવૃત્તિ છે. યથાશક્તિ તપ કરવાનું ભગવાને કહેલ છે. તેમ છતાં અજ્ઞાન દશામાં તપ માર્ગ પ્રવર્તનારા જીવે, પૂર્વનાં પાપ યથાકાળ પહેલાં ઉદીરણા પામી વહેલાં ઉદયમાં તપ નિમિત્તે આવે તેથી દુઃખ થાય તેને તપનું ફળ માની તપ પ્રત્યે ઉદાસ થાય છે, ખેદ કરે છે, તે માર્ગે બીજા પ્રવર્તે તે દુઃખી થશે એમ માની તેવી વિપરીત વાતે પણ લોકમાં કરે છે. આંબેલ કરવાથી લેક માંદા પડે છે, ગરમ પાણી પીવાથી ગરમી વધે છે –આવી વાતો કરનારા તપનું સ્વરૂપ કે પુણ્ય-પાપનું સ્વરૂપ કંઈ પણ સમજતા નથી. માત્ર નિમિતને જ વળગી પડે છે. કેઈ થાપણ મૂકી ગયું હોય તે પૈસા માગે તેને દુશ્મન જે ગણે તેના જેવી આ વાત છે.
શ્રી ગજસુકુમાર સ્મશાનમાં પરમકૃપાળુ શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞા લઈ મેક્ષ અર્થે કાર્યોત્સર્ગ-ધ્યાનમાં ઊભા છે, તે વખતે સેમલ બ્રાહ્મણને વૈર વાળવાનું સૂઝી આવ્યું. તેથી તેણે પાસેની તળાવડીમાંથી કાદવ લાવી શ્રી ગજસુકુમારને માથે સગડી જેવી પાળ બાંધી. મડદું બળતું હતું તેની ચિતામાંથી અંગારા લઈ શ્રી ગજસુકુમારને માથે ભર્યા. તોપણ તે સેળ વર્ષના મહામુનિ પિતાના ધ્યાનમાંથી ચળ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org