________________
નય અને નિક્ષેપ
૨૯૧
હેય તેના પર કહેવાય છે કે “હું હજારપતિ છું.' કે લાખપતિ છું,'... વગેરે. આ ત્રાજુસૂત્ર નયનું જ્ઞાન છે.
૫. શબ્દ (સાંપ્રત) નય-એથી ઊંડે જઈને વસ્તુને સમાન લિંગ-વચનવાળી હોય ત્યાં સુધી જ એને એ રૂપે જાણે છે. લિંગ-વચન જુદા પડતાં વસ્તુને જુદી કહે છે, દા. ત. ઘડે, કળશ, કુંભ એ સમાન વસ્તુ છે. ઘડી, ટી, ગાગર એ પેલાથી જુદી વસ્તુ છે. પ્રસંગે આ વિવક્ષાથી બોધ કે વ્યવહાર થાય છે, ને તે શબ્દનયના ઘરને છે. દા. ત. આ પત્ની નથી, દાર છે; કેમકે પુરુષ જેવી છે. એમ, ઘડી એ નાનો ઘડે જ છે. છતાં કહેવાય છે કે “આ ઘડો શું લાવ્યા? મારે તે ઘડી જોઈએ છે.”
૬. સમભિરૂદનચ એથી ય ઊંડે જઈ વસ્તુમાં શબ્દાર્થ ઘટે તે જ તેને એ વસ્તુ તરીકે માને. દા. ત. વકિલને દીકરે “વકિલની અટકવાળે, છતાં કહેવાય છે કે “આ કઈ વકિલ નથી.” એમ, ગોવાળિયાનું નામ ઈન્દ્ર પાડ્યું છે, પરંતુ તે કાંઈ ખરેખર ઈન્દ્ર નથી. ખરેખર ઈન્દ્ર તે દેવને સ્વામી છે, કેમકે ઈન્દ્ર શબ્દનો અર્થ ઈન્દનવાળો એટલે કે ઐશ્વર્યવાળે; તે એમાં જ ઘટે છે. “ઈન્દ્ર પ્રભુને મેરુ શિખર પર લઈ જાય છે', આ ઈન્દ્રનું જ્ઞાન કે વ્યવહાર એ સમભિરૂઢ નયને છે.
૭. એવંભૂતનચ એથી પણ ઊંડે જઈને જણાવે છે કે શબ્દાર્થ પર વર્તમાનમાં ઘટતે હેય તે જ તે વસ્તુ તરીકે તેને સંબોધી શકાય, નહિ કે પૂર્વે ઘટતે હતો તેટલા માત્રથી. દા. ત. “ઈન્દ્ર ચક્રવર્તી કરતાંય અધિક વૈભવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org