________________
૨૮૪
જૈન ધર્મને પરિચય સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ વગેરે પ્રમાણેને સમાવેશ થઈ જાય છે. વાદીની સભામાં મુખ્યત્વે પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણને આશ્રય કરાય છે.
ક અનુમાન-પ્રમાણુ એક અનુમાન પ્રમાણમાં એક પ્રત્યક્ષ દેખાતી યા સંભળાયેલી વસ્તુ (યાને હેતુ) ઉપરથી બીજી એની સાથે અવશ્ય સંબદ્ધ વસ્તુ હેવાને નિર્ણય કરવામાં આવે છે..
દા. ત. દૂરથી ધજા કે શિખર જે મંદિરને નિર્ણય થાય એ અનુમાન છે. ધજા–શિખર સાથે મંદિરને અવિનાભાવી (અવશ્ય) સંબંધ છે, તેથી ધજા હોય ત્યાં અવશ્ય મંદિર હોય એ હિસાબે ધજા પરથી મંદિરનું અનુમાન થાય છે. અનુમાનમાં પંચાવયવ-વાક્ય હોય છે. પ્રતિજ્ઞા- હેતુ-ઉદાહરણ-ઉપાય-નિગમન એ પાંચ અવયવ છે. પાંચના વાક્યને પંચાવયવ-વાક્ય કહેવાય. એમાં –
(૧) વાદ ચાલે ત્યાં પહેલી સ્થાપના કરાય તે પ્રતિજ્ઞાવાય; જેમકે “પર્વત પર અગ્નિ છે.'
(૨) એને સિધ્ધ કરવા માટે હેત આપવામાં આવે છે, દા. ત. “કેમકે ત્યાં ધુમાડો દેખાય છે એ હેતુવાકય.
(૩) પછી વ્યાપ્તિ અને ઉદાહરણ બતાવવામાં આવે છે, દા. ત. “જ્યાં જ્યાં ધુમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય; જેમકે રસોડામાં.” આ ઉદાહરણ વાક્ય છે.
આમાં, વ્યાપ્તિ' એટલે (i) અવિનાભાવ, (i)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org