________________
२८४
.
#
1
4 * .
શાસ્ત્રમાં કહ્યું છે કે “ગીતાર્થ (જ્ઞાનીના) હાથે હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના (અજ્ઞાનીના) હાથે અમૃત પીવું છેટુ. જ્ઞાનથી જ હિત અને અહિતને યથાર્થ માર્ગ જણાય છે. અને એથી અહિતથી પાછા હઠવાનું અને હિતમાં પ્રવૃત્ત થવાનું બને છે. માટે જ્ઞાન એ પરમ આધાર છે, જ્ઞાન એજ સુખની ખાણ છે, જ્ઞાન એજ પરમબંધુ છે, જ્ઞાન એજ ભવસાગર તરવાની સ્ટીમર છે, જ્ઞાન એજ સાચી આંખ છે, જ્ઞાન એજ આત્માનું પાલન કરનાર પરમપિતા છે, જ્ઞાન એજ પરમતીર્થ છે, જ્ઞાન એજ જગતને શણગાર છે, જ્ઞાન એજ અમૃત છે, જ્ઞાન એજ સાચું જીવન છે, જ્ઞાન એજ પરમમિત્ર છે, જ્ઞાન એજ સ્વજન છે, ક્રોધાદિ ચેરથી રક્ષણ કરનાર શ્રેષ્ઠ પિલીસ છે. અરે! જ્ઞાન એ જ સર્વસ્વ છે, જ્ઞાન એ જ, પરમધન છે, જ્ઞાન એજ તરણતારણ છે, જ્ઞાન એજ મનુષ્યને અલંકાર છે, પણ જ્ઞાન એ સમ્યગજ્ઞાન હોય તો.
પ્ર. જ્ઞાન કેને કહે છે?
જ. “જ્ઞાતૈિડમેનેતિ જ્ઞા” જેનાથી વસ્તુતત્વને બંધ થાય તેને જ્ઞાન કહે છે. - પ્ર. જ્ઞાન કેટલા પ્રકારનાં છે?
જ. જ્ઞાન પાંચ પ્રકારનું છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. - પ્ર. મતિજ્ઞાન કોને કહે છે ?
જ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષેપશમથી અને ઈન્દ્રિય અને મનની સહાયથી થતું અને શ્રુતને (ગ્રંથને) નહિં અનુસરનારૂં જ્ઞાન તેને મતિજ્ઞાન કહે છે.
પ્ર. શ્રુતજ્ઞાન કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org