SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ છે. જૈન દર્શનમાં મનનું સ્વરૂપ છે મનના બે પ્રકાર છે (૧) દ્રવ્યમન (૨) ભાવમન. (૧) સંસી પ્રાણુએ ચિંતન કરવા માટે મને વર્ગણાના પગલે ગ્રહણ કર્યા. તે તે મનરૂપે પરિણત જે મનોવર્ગણાના પગલે તેને જૈન પરિભાષામાં દ્રવ્યમન કહે છે. (૨) આ દ્રવ્યમનની સહાયથી જીવને જે ચિંતનરૂપ વ્યાપાર તેને ભાવમન કહે છે. દ્રવ્યમનની પ્રાપિત મન:પર્યાપ્તિ એ પર્યાપ્તાસંણી જીવને પ્રાપ્ત થાય છે. આ દ્રવ્યમન પુદ્ગલરૂપ (જડ)જ છે. અને તેની સહાયથી–તેના આધારે જીવ વિચાર કરી શકે છે. જ્યારે જ્યારે જીવ ચિંતન કરવા તૈયાર (ઉદ્યત) થાય છે ત્યારે ત્યારે તે મનઃ પર્યાપ્તિ (આત્માની એક વિશેષ શક્તિ) દ્વારા આત્મક્ષેત્રમાં રહેલી અનંતાનંત મને વર્ગણાનાં પુલોને ગ્રહણ કરે છે. છદ્મસ્થ જીવને ૧૨ મા ગુણઠાણ સુધી ચિંતનરૂપ વ્યાપાર હોવાથી તેઓને ભાવમન અવશ્ય હાય છે જ્યારે કેવલીને ૧૩-૧૪ ગુણ સ્થાનકે ભાવમન ન હોય. પૂર્ણ જ્ઞાનીને વિચાર કરવાનું ન હોય. તેઓને તો જ્ઞાનમાં પ્રતિસમય બધું પ્રત્યક્ષ હોય છે. દ્રવ્યમન અનુત્તરવાસી દેએ મનથી પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માટે કેવલીને હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy