SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતનો ઉપયોગ કરતા રહીએ તો આપણું વ્યક્તિગત જીવન ઘણું સ્વસ્થ બની રહે. આપણા મોટા ભાગના કલહોનું કારણ એ છે કે આપણે એકાંતિક રીતે જ વસ્તુની વિચારણા કરીએ છીએ. આપણી વાતને આપણી અપેક્ષાએ સાચી માનવામાં કંઈ વાંધો નથી પણ આપણે તો બીજાની અપેક્ષાની સદંતર અવગણના કરીને, અન્યને ખોટા ગણીએ છીએ તેથી આપણું જીવન વિસંવાદ અને વિવાદોથી ઊભરાય છે. એમાંથી જો આપણામાં સહિષ્ણુતા ઓછી હોય તો પછી આપણે કલહમાં ઊતરી પડીએ છીએ જે છેવટે ક્લેશમાં પરિણમે છે. અનેકાંત વિજ્ઞાન છે. તે જીવનથી પરનું વિજ્ઞાન નથી પણ જીવનમાં ઉતારવા માટેનું – અપનાવવા માટેનું વિજ્ઞાન છે. જો આપણે અનેકાંતના વૈજ્ઞાનિક ઢંગથી જીવતા શીખી જઈશું તો આપણા સંબંધોમાં પણ મીઠાશ આવી જશે, ક્યાંય આપણને કલહ નહિ વર્તાય. અનેકાંત સમભાવપૂર્વકના સ્વસ્થ જીવનનું ઘોતક છે. ૧૫૮ જૈન ધર્મનું હાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy