________________
અનેકાંતનો ઉપયોગ કરતા રહીએ તો આપણું વ્યક્તિગત જીવન ઘણું સ્વસ્થ બની રહે. આપણા મોટા ભાગના કલહોનું કારણ એ છે કે આપણે એકાંતિક રીતે જ વસ્તુની વિચારણા કરીએ છીએ. આપણી વાતને આપણી અપેક્ષાએ સાચી માનવામાં કંઈ વાંધો નથી પણ આપણે તો બીજાની અપેક્ષાની સદંતર અવગણના કરીને, અન્યને ખોટા ગણીએ છીએ તેથી આપણું જીવન વિસંવાદ અને વિવાદોથી ઊભરાય છે. એમાંથી જો આપણામાં સહિષ્ણુતા ઓછી હોય તો પછી આપણે કલહમાં ઊતરી પડીએ છીએ જે છેવટે ક્લેશમાં પરિણમે છે.
અનેકાંત વિજ્ઞાન છે. તે જીવનથી પરનું વિજ્ઞાન નથી પણ જીવનમાં ઉતારવા માટેનું – અપનાવવા માટેનું વિજ્ઞાન છે. જો આપણે અનેકાંતના વૈજ્ઞાનિક ઢંગથી જીવતા શીખી જઈશું તો આપણા સંબંધોમાં પણ મીઠાશ આવી જશે, ક્યાંય આપણને કલહ નહિ વર્તાય. અનેકાંત સમભાવપૂર્વકના સ્વસ્થ જીવનનું ઘોતક છે.
૧૫૮
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org