________________
તો કોઈને ઠંડું પણ લાગે. ધ્રુવ પ્રદેશમાંથી આવનારા માટે આપણો શિયાળો ગરમીની ઋતુ છે, પણ ગરમ પ્રદેશમાંથી આવનાર માટે કડકડતી ઠંડીની મોસમ છે.
દ્રવ્યની વાત લઈએ તો અત્યારનું જે દૂધ છે તે કાલનું દહીં છે, તો પરમદિવસની છાશ છે અને અઠવાડિયા પછીનું ઘી છે. આજે આપણને જે વસ્તુ મીઠાઈ લાગી તે ખાધા પછી બીજે દિવસે ત્યાગવા જેવી માટી થઈ ગઈ. આમ બધું અમુક સંદર્ભમાં જ ઊભું છે, અમુક અપેક્ષાએ જ ખરું છે.
તાત્પર્ય એ છે કે સત્ય એટલું વિરાટ છે અને એટલું તો બહુઆયામી છે કે તેને વિશે કંઈ પણ કહેવું હોય તો તે અપેક્ષાથી જ કહી શકાય. સત્ય અનેકાંતિક છે. તેને પહોંચવાના, તેને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે માટે સત્ય વિશે એકાંતિક રીતે ક્યારેય વાત ન થાય. અનેકાંત એટલે સત્યની વિરાટતા અને તેના બહુઆયામી - બહુમુખી અસ્તિત્વનો સભાનતાપૂર્વક સ્વીકાર અને તે રીતે થતી વિચારણા.
માણસનો સત્ય વિશેનો અનુભવ અમુક અપેક્ષાએ જ હોય છે તેથી માણસે સત્યનું સચોટ નિર્દેશન કરવું હોય તો અપેક્ષાથી જ કરવું જોઈએ. સત્ય વિશે થયેલું કોઈપણ કથન જો નિરપેક્ષ હોય તો તે અસત્ય જ ઠરે. સત્ય વિરાટ છે, તેનો આવિષ્કાર અનેક રીતે થઈ શકે તે વાતનું અનેકાંત પ્રતિપાદન કરે છે. તેથી સત્ય વિશે કંઈ કહેવું હોય તો તે અપેક્ષાથી જ કહેવાય. આમ સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ - સત્યને સચોટ રીતે કહેવાની એક રીત છે - શૈલી છે.
અનેકાંતને હજુ વધારે સમજવા માટે બે ઉદાહરણોની અનેકાંતવિજ્ઞાન
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org