________________
બની રહે છે. આત્માનો આ અંતિમ પુરુષાર્થ છે. ત્યાં મન, વચન, કાયાના યોગોનું કોઈ પ્રવર્તન રહેતું નથી. આ અવસ્થાને પરમ અક્રિયારૂપ અમૃત અવસ્થા' તરીકે શાસ્ત્રોમાં ઓળખાવી છે. શૈલેશીકરણને અંતે આત્મા સર્વકર્મરહિત થઈને કર્મના આશ્રયસ્થાન સમા દેહને છોડીને મોક્ષને પ્રાપ્ત કરે છે એટલે કે બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તે જ સમયે સિદ્ધશિલા ઉપર સ્થિતિ કરી લે છે. અંધકાર ઓસરે અને પ્રકાશ પથરાય એમ અયોગી કેવળીનું ગુણસ્થાનક છૂટવાની અને આત્માના સિદ્ધશિલા ઉપર સ્થિત થવાની બન્ને ઘટના એકસાથે ઘટે છે.
ચૌદમા અયોગી કેવળીના ગુણસ્થાનકને છોડ્યા પછી તત્કાલ આત્મા લોકાકાશના અગ્ર ભાગે વિરમે છે. ત્યાર પછી તે સિદ્ધાત્મા કે સિદ્ધ પરમાત્મા કહેવાય છે. સિદ્ધ અવસ્થા એ શૂન્ય અવસ્થા નથી કે કોઈ પરમાત્મામાં વિલીન થઈ જવાની સ્થિતિ નથી. ત્યાં ફક્ત દુઃખનો નિરોધ થવાની વાત નથી. સિદ્ધ અવસ્થા વિધાયક અવસ્થા છે. ત્યાં જીવ અનંત ચતુષ્ટયી એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય (ઉત્સાહ) અને અનંત સુખને સહજ રીતે ભોગવે છે કે તેનો આવિર્ભાવ કરે છે. અહીં આત્માની સ્વરૂપરમણતા હોય છે. હવે આત્મા શુદ્ધ-બુદ્ધ થઈ પરમાત્મા થઈ ગયો હોય છે.
શરૂમાં બહિરાત્મભાવમાં રાચતો જીવ, ચોથા ગુણસ્થાનકથી અંતરાત્મા દશામાં ચઢતો ચઢતો અંતે તેમાં ગુણસ્થાનક પર પહોંચીને પરમાત્મદશા પ્રાપ્ત કરે છે. તેથી તેરમા ગુણસ્થાનક ઉપર ઊભેલા અને સંસારમાં વિચરતા આત્માઓને કેવળી ભગવંતો તરીકે ઓળખવામાં આવે છે. અયોગી કેવળીની ૧૩૬
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org