________________
શોધીને તે નષ્ટ કરી નાખે છે. આ ગુણસ્થાનક ખૂબ મહત્ત્વનું એટલા માટે છે કે ત્યાં મોહનો કણિયો રહી ગયો, તેનું નિરસન ન થયું તો જીવ અગિયારમે આવવાનો અને ત્યાંથી મોહનો કણિયો ભભૂકી ઊઠતાં પાછો પડવાનો. જો દશમું ગુણસ્થાનક સચવાઈ ગયું તો જીવ સીધો બારમે પહોંચવાનો અને પછી ત્યાંથી પાછો નહિ પડવાનો.
બારમા અને તેમાં ગુણસ્થાનક વચ્ચે આમ જોઈએ તો સમયનું ખાસ અંતર નથી. બારમું સિદ્ધ થયું તેની સાથે જ તેરમું આવી જવાનું. બે પ્રદેશોની સરહદો ઉપરના પાટિયા જેવું આ સ્થાન છે. આ બાજુ બારમું અને બીજી બાજુ તેરમું. જે રેખા ઉપર એક પ્રદેશ પૂરો થાય તે જ રેખા ઉપર બીજો પ્રદેશ શરૂ થાય. બારમા ઉપર મોહનો સંપૂર્ણ નાશ થયો. આત્માનો સૂર્ય સોળે કળાએ પ્રકાશવા લાગ્યો. પ્રકાશ થયો, અંધારાં ઊલેચાઈ ગયાં. બારમે કષાય અને ઘાતી કર્મથી – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મથી સંપૂર્ણ મુક્તિ થઈ કે તુરત જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પ્રદેશ બદલાઈ ગયો અને તેરમા ગુણસ્થાનકનો પ્રદેશ શરૂ થઈ ગયો.
તેરમું ગુણસ્થાનક સયોગી કેવળીનું ગુણઠાણું છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ પણ આયુષ્ય બાકી હોય તો તે પૂર્ણ થતા સુધી આત્મા આ ભૂમિ ઉપર શરીરના યોગ સાથે વિચરે અને દેહના માટેની આવશ્યક ક્રિયાઓ કંઈ પણ ભાવ વિના થતી રહે તેથી તેને “સયોગી કેવળી' કહે છે. એમાંય વળી જે જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તેઓ અહીં રોકાઈને
૧૪
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org