SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫ ] જૈન દર્શનમાં તિર્થંકર શબ્દને પગ છે અર્થાત એવા સાધુ પુરૂષ કે જેઓ સંસારમાં ભટકી રહ્યા છે, અજ્ઞાની છે, ભેદ વિજ્ઞાનથી અજાણ છે તેવા લોકોને આત્માને સાચે માર્ગ જે બતાવે છે અને જે પિતાનાં વિહારથી અનેક સ્થાનેએ તિર્થોની રચના કરે છે તે તિર્થંકર છે અને તેઓ પૂર્ણ અરિહંત છે. તિર્થંકર એટલે જ જે સંસાર સાગરને પિતે પાર કરે અને બીજાને પાર કરાવે જેઓ મતિ, મુતિ, અવધિ અને મન:પર્યાયના જ્ઞાતા હોય અને જેઓ રત્નત્રયાત્મક મેક્ષમાર્ગનું પ્રચલન કરે અને જેઓ સંસારપાર કરાવનાર આગમનાં કર્તા છે તેવા તીર્થંકર પ્રણિત આ જન ધર્મ છે એટલે આપણે તિર્થંકરને પૂજીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિનાં અતિરેકમાં આપણે ભગવાન શબ્દને પ્રવેગ કરતા હઈએ છીએ પરંતું ભગવાનને અર્થ તિર્થંકરના સંદર્ભમાં જ લેવાને છે અવતારવાદનાં સંદર્ભમાં નહી જન ધર્મ જ એક એ ધર્મ છે કે જે પ્રત્યેક આત્મામાં ભગવાન થવાની શકિત નિહાળે છે અને આત્મા એજ પરમાત્મા છે તેમ માને છે. જૈન ધર્મમાં વ્યક્તિની નહીં ગુણેની મહત્તાને સ્વીકાર કર્યો છે એટલે ત્યાં ગુણ એજ ભગવાન છે વ્યક્તિ નહી. જેને ધર્મના માનનારાઓમાં રહેલી શ્રદ્ધા તેમની ભક્તિ જોઈને જેઓ તેમને નાસ્તિક કહે છે તેઓની બુદ્ધિની બલીહારી સિવાય બીજું શું કહીએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005236
Book TitleJainaradhnani Vaignanikta
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain
PublisherSamanvay Prakashak
Publication Year1981
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy