________________
[ ૧૮૫] સંસારની મલિન વાસનાઓમાં ફસાઈને અપકૃત્ય કે કુકૃત્ય કરે છે અથવા કેટલીક વખતે ભેદવિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત કરીને સતકાર્યો પણ કરે છે ત્યારે તેને કર્મોને આશ્રવ તે થયા જ કરે છે અર્થાત નવા નવા કર્મો આવ્યા જ કરે છે, જેને આશ્રવ કહેવામાં આવે છે. અને આવા આશ્ર જીવને નિરંતર દુઃખી કરે.
આશ્રવ થયેલા કર્મો બંધાય છે. જેને બંધ કહેવામાં જ્યારે અશુભ કર્મોનું આશ્રવ થાય ત્યારે અશુભ કર્મ બંધ થાય અને જ્યારે શુભ કર્મો આવે ત્યારે શુભ કર્મોને બંધ થાય અહીયા એક વસ્તુ સમજી લેવી જોઈએ કે જેનધર્મમાં શુભ કે અશુભ બને પ્રકારના કર્મોને બંધ અર્થાત બાંધનાર માનવામાં આવ્યા છે. એટલે શુભ કે અશુભ બને પ્રકારના બંધને છોડવાની વાત કરવામાં આવી છે. આચાર્યોએ તે અહીં સુધી કહ્યું છે કે બંને પ્રકારના કર્મો સેના અને લેઢાની હાથકડી છે.
આ શુભ અને અશુભ કર્મોને જ પાપ અને પુણ્ય તો પણ માનવામાં આવ્યા છે એટલે શુભ કર્મો એટલે પુન્ય કર્મો કે જે આત્માને પવિત્ર બનાવે, સદ્દવૃત્તિ તરફ પ્રેરિત કરે જેમાં વ્રત, પૂજા, પરેપકાર, બાર વત વગેરેની ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org