________________
[ ૧૫૫] સામાયિકમાં સ્થિર થવું અને આંતરજગતના આત્મતત્વમાં ક્રમે ક્રમે લીન થવાની ભાવના એટલે અનુપ્રેક્ષાધ્યાન. પ્રેક્ષા એટલે જેવું અને અનુપ્રેક્ષા એટલે આંતરજગતને જેવું એમ પણ મૂકી શકાય. ધ્યાનની ક્રિયા કે અનુપ્રેક્ષાની આ ભાવનામાં
જ્યારે બાર ભાવનાઓને સાધક બનાવે છે ત્યારે તે સવાભાવિક રીતે સંસારની અસારતા વગેરેને ત્યાગ કરીને એકમાત્ર ચરમસુખ કે શાશ્વત સુખ મેક્ષની કામના કરતે હોય છે
આ પ્રેક્ષાયાન તે માત્ર ભાવનાઓનું સ્મરણ કરવાથી સાધી શકાતું નથી તેને માટે સર્વપ્રથમ ત્રિગુપ્તિ અર્થાત્ મન વચન અને કાયાને સાધવું પડે છે એને અર્થ એ થ કે ચંચલ મનને તમામ દિશાઓમાંથી, વાસનાઓમાંથી અલિપ્ત બનાવીને સ્થિર બનાવવું પડે છે અને જ્યારે મનની ચંચળતા સ્થિરતામાં પરિણમે છે ત્યારે જ આપણે આત્મ ધ્યાન તરફ કેન્દ્રિત થઈ શકીએ છીએ અને બીજા શબ્દોમાં કહીએ તે જીતેન્દ્રિય બની શકીએ છીએ. જ્યારે મન સ્થિર બને છે ત્યારે જ આકુળતાને નાશ થાય છે. વાસનાઓનું શમન થાય છે માટે જ મનની સાધના એ સૌથી મોટી સાધના છે.
- જ્યારે મન સ્થિર થાય છે ત્યારે વચન સ્વમેવ અંકુશીત બને છે કારણ કે મનની ચંચળતા, વાચાળ, અસત્યભાષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org