________________
“શ્રાવકના અષ્ટમૂલગુણુ”
શ્રાવક શબ્દનો જયારે પ્રયોગ કરીએ છીએ ત્યારે શ્રાવક શબ્દમાં તેના અપેક્ષિત લક્ષણેને સમાવેશ થઈ જ જાય છે. એના આઠ મૂળ લક્ષણેની ચર્ચા કરતાં પહેલા શ્રાવક વિશે પણ થોડુંક જાણશું તે તેના લક્ષણે અને આચરણ સ્પષ્ટ થશે. શ્રાવકની સામાન્ય વ્યાખ્યા કરતાં ઘણાં ગ્રંથમાં એમ કહેવાયું છે કે શ્રાવક તે છે જે ચારિત્ર્ય મેહકર્મના એક ભેદ અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ક્ષપામ નૈમિતિક પરિણામની પ્રાપ્તિ સમયે વિશુદ્ધિથી પંચ પરમેષ્ટિને ભક્ત હોય છે, દાન, પૂજન કરવાવાળે હોય છે. અને ભેદજ્ઞાનરૂપી અમૃત પીવાની ઈચ્છા ધરાવનાર ઉત્તમ ગુણેની ધારક વ્યકિત આવક કહેવાય છે. અંતરંગમાં રાગાદિ ભાને ક્ષય અને હિનાધિકતાનુસાર થનાર આત્માનુભુતિથી ઉત્પન્ન જે સુખને ઉત્તરોત્તર અનુભવ કરે છે અને જે ઉત્તરોત્તર સમ્યક્ત્વ ધારણ કરીને મુનિવ્રત ધારણ કરવાની ભાવના રાખે છે તે શ્રાવક કહેવાય છે. શાબ્દિક અર્થ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org