SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ બ્રહ્મસૂત્રનું તાત્પર્ય નારાયણરૂપ પરબ્રહ્મમાં જ છે. અને એ પણ ઘટાળ્યું નારાયણ પરબ્રહ્મ જ ચેતનાચેતન જગતનાં ઉપાદાન અને નિમિત્તકારણ છે. નિમ્બાર્ક પણ બ્રહ્મતત્ત્વની ઈશ્વરરૂપે સ્થાપના કરી તેને જ વિષ્ણુ કહેલ છે. એ પણ પારમાર્થિક ભેદાભેદ યા દ્વૈતાદ્વૈતવાદી છે. એને મતે પણ પરમબ્રહ્મ વિષ્ણુ જ વાસ્તવિક ચરાચર જગતનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. એ પણ પેાતાની સ્થાપનામાં મુખ્યપણે આગમપ્રમાણના આધાર લે છે, અને પ્રાણિક સાપેક્ષ જ સૃષ્ટિ સ્વીકારે છે. વિજ્ઞાનભિક્ષુએ સાંખ્ય, ચેાગ અને વેદાન્તની વ્યાખ્યાએ કરી છે. તેણે પણ બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરતાં પેાતાના ભાષ્યમાં બ્રહ્મતત્ત્વને ઈશ્વરરૂપે સ્થાપ્યું છે. પણ તેણે ભાસ્કર, રામાનુજ આદિ કરતાં પોતાને રાહુ જુદો લીધા છે. તેણે પરબ્રહ્મને ઈશ્વર સ્થાપતી વખતે ચેાગપર પરાસ`મત ઈશ્વરની સ્થાપનામાં લીધેલ યુક્તિના ઉપયાગ કરી કહ્યું છે કે સત્ત્વરૂપ શુદ્ધ પ્રકૃતિનું અવલંબન કરી બ્રહ્મ પાતામાં જ સદા વ માન એવા પ્રકૃતિ અને પુરુષતત્ત્વને સર્જે છે, વિક્સાવે છે. પ્રકૃતિ અને પુરુષા-જીવે એ વાસ્તવિક છે, બ્રહ્મથી ભિન્ન પણ છે; છતાં તે બ્રહ્મરૂપ અધિષ્ઠાન સિવાય અન્યત્ર રહેતા જ નથી. તેથી તે ભિન્ન છતાં બ્રહ્મથી અવિભક્ત છે. અને એણે બ્રહ્મતત્ત્વની ઉપાદાન યા નિમિત્તકારણરૂપ ચાલુ વ્યાખ્યા છોડી અધિષ્ઠાનકારણરૂપે વ્યાખ્યા કરી, અને કહ્યું કે આ અધિષ્ઠાનકારણ એ સમાયિ, અસમવાયિ અને નિમિત્તકારણથી જુદું જ ચોથા પ્રકારનું કારણ છે. જેમાં અવિભાગરૂપે કાય રહેતુ હોય અને જેનાથી ઉપભ પામી પ્રવૃત્તિ કરી શકતું હોય તે જ અધિષ્ઠાનકારણ. આવું અધિષ્ઠાનકારણુ બ્રહ્મ છે અને પ્રકૃતિ-પુરુષ એમાં જ અવિભક્ત થઈ રહે છે. તેથી વિજ્ઞાનભિક્ષુ અવિભાગાદ્વૈતવાદી કહેવાય છે. એ શંકરના માયાવાદના અહુ જ ઉગ્રપણે વિધ કરે છે અને ઉપનિષદો તેમ જ અનેક પુરાણ, સ્મૃતિ આદિને આધારે બ્રહ્મતું નિર્વિભાગાદ્વૈતરૂપે સ્થાપન કરી તેને જ ઈશ્વર કહે છે. વિજ્ઞાનભિક્ષુ બ્રહ્મને જ ઈશ્વર માની ૧. જુએ, દાસગુપ્તા—ઉક્ત પુસ્તક, ભા. ૩, પૃ. ૧૫૬; सूक्ष्मचिदचिद्वस्तुशरीरस्यैव ब्रह्मणः स्थूलचिदचिद्वस्तुशरीरत्वेन कार्यत्वात् । કે એ Jain Education International —શ્રીભાષ્ય. ૧. ૧. ૧. (ખામ્બે સંસ્કૃત સિરીઝ; પૃ. ૧૧૧.) ૨. જુએ, દાસગુપ્તા ઉકત પુસ્તક, ભા. ૯, પૃ. ૪૦૫-૪૦૬ આર્દિ; તથા નિમ્બાર્ક ભાષ્ય ( બ્રહ્મસૂત્ર) ૧. ૧. ૪—તમાત સર્વજ્ઞઃ સર્વાચિસ્યાતિવિધ ગન્માવિ हेतुर्वेदैकप्रमाणगम्यः सर्वभिन्नाभिन्नो भगवान् वासुदेवो विश्वात्मैव जिज्ञासाविषयस्तत्रैव सर्वं शास्त्रं समन्वेतीत्योपनिषदानां सिद्धान्तः ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy