SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્વિક સ્વરૂપને એ પરિણામે માંય ફૂટસ્થ તરીકે સાચવવાની અનેક યુક્તિઓ, ઉપપત્તિઓ આપી, અને અનેક દષ્ટાન્ત દ્વારા એનું સમર્થન કર્યું. શંકર પહેલાંના વ્યાખ્યાકારના ગ્રન્થ અખંડ તે ઉપલબ્ધ નથી, પણ એમના વિચારપ્રવાહે જુદી જુદી આચાર્ય પરંપરા દ્વારા સચવાયા, પષાયા અને વિકસ્યા પણ છે. તેમાંથી ભાસ્કર પ્રથમ આવે છે. તે બ્રહ્મતત્ત્વને પરિણામી માની તેમાં વિવિધ શક્તિઓ સ્વીકારે છે, અને એક શક્તિથી ભાગ્યસૃષ્ટિનું તે બીજી શક્તિથી ભક્તા-જીવસૃષ્ટિનું સર્જન ઘટાવે છે; અને બ્રહ્મને જ અછા, પાલયિતા અને સંહારક તરીકે ઈશ્વરનું સ્થાન આપી તેને જ ઉપાદાન અને નિમિત્તરૂપે માની શંકરની પેઠે બીજા વાદોને નિરાશ કરે છે. ભાસ્કર પણ ઈશ્વરની સ્થાપનામાં મુખ્ય આધાર ઉપનિષદોનો લે છે અને સૃષ્ટિને પ્રાણિકર્મસાપેક્ષ માને છે. તે અચેતન-ચેતન વિશ્વને ઉપાદાનસ્વરૂપ બ્રહ્મતત્ત્વથી ભિન્નભિન્ન માને છે. તે કહે છે કે વસ્તુમાત્ર અમુક દષ્ટિએ એક તે બીજી દષ્ટિએ અનેક છે. એક જ વસ્તુમાં એકવ અને અનેકત્વ સ્વાભાવિક છે, વાસ્તવિક છે. જેમ સમુદ્ર એક છતાં તરંગરૂપે અનેક છે, તેમ બ્રહ્મરૂપ ઈશ્વર એક છતાં તે જગ-જીવાત્મક પરિણામરૂપે અનેક પણ છે. આ પરિણામે ભલે અલ્પકાલીન હોય, પણ તેથી એ કાંઈ અવાસ્તવિક ઠરતા નથી. આ રીતે ભાસ્કરને બ્રહ્મમાં ઈશ્વર સ્થાપવા માટે શંકરની પેઠે માયાને આશ્રય લે નથી પડ્યો, પણ એણે બ્રહ્મમાં સહભે વાસ્તવિક અનેક શક્તિઓ જ સ્વીકારી છે. અહીં એક બાબત ધ્યાન આપવા જેવી છે, તે એ કે સાંખે જેમ મૂળ પ્રકૃતિમાંથી તન્માત્રા આદિ ભેગ્યસૃષ્ટિ અને બુદ્ધિ, અહંકાર આદિ રૂપ ભકતૃશકિત ઘટાવતા, તેમ ભાસ્કર મૂળ બ્રહ્મમાંથી જ ઘટાવે છે." આમ તે ઉપનિષદકાળમાંય અતિવિચારની પ્રતિષ્ઠા વધતી અને જામતી જતી હતી, પણ બીજી બાજુએ દ્વિતવિચારકે પણ ઔપનિષદ વર્તુલની અંદર તેમ જ બહાર સ્પષ્ટપણે દૈતવિચારનું સ્થાપન કરે જ જતા હતા. આ વિચારસંઘર્ષમાંથી એક પ્રકારને તાદ્વૈતવાદ પણ જુદા જુદા સ્વરૂપમાં અસ્તિત્વમાં આવતે જ હતે. સદÀત, દ્રવ્યાદ્વૈત, ગુણત, બ્રહાત, વિજ્ઞાનાદ્વૈત અને શબ્દાદ્વૈત જેવા અદ્વૈત વિચારોનું પ્રાધાન્ય હતું ત્યારે તેમાં શંકરને કેવલાદ્વૈતવાદ સબળપણે ઉમેરા. આની પ્રતિક્રિયા દૈતવિચારકે ઉપર અને દ્વૈતાદ્વૈતવિચારકે ઉપર પણ થઈ. તેથી તે બનેએ પોતપોતાની રીતે માયાશ્રિત કેવલાદ્વૈતવાદને વિરોધ કરવા માંડ્યો. જેમ ભાસ્કરે, તેમ અન્ય પ્રબળ અને પ્રબળતમ આચાર્યોએ કેવલાદ્વૈતવાદને નિર્યુતિક ૧. જુઓ, દાસગુપ્તા–ઉક્ત પુસ્તક, ભા. ૩; ૫. ૬; અને ભાસ્કરભાષ્ય (બ્રહ્મસૂત્ર) ૨.૧.૧૪, પૃ. ૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy