SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય-વૈશેષિક પરંપરામાં ઈશ્વરની સ્વતંત્ર વ્યક્તિ તરીકે—અને તે પણ કર્તા, નિયન્તા તરીકે–એટલી બધી સમર્થ સ્થાપના થઈ છે અને તે વિષે એટલા બધા ચિન્તન તેમજ તક પૂર્ણ ગ્રન્થ લખાયા છે કે કેમ જાણે એને લીધે જ ન હોય કે બીજા દાર્શનિકેએ એ મુદ્દા પરત્વે પિતાપિતાના અનુકૂળ કે પ્રતિકૂળ વિચારોથી સમૃદ્ધ એવું પુષ્કળ સાહિત્ય રચ્યું છે. ન્યાય-વૈશેષિક પરંપરામાં સૌથી મોખરે તરી આવે એવી વ્યક્તિ છે ઉદયન. ઉદયને તે ન્યાયકુસુમાંજલિની રચના માત્ર ઈશ્વરની સ્થાપના માટે જ કરી છે અને તેમાં એણે પિતાની રીતે તમામ અનીશ્વરવાદીઓને જવાબ આપી છેવટે મહેશ્વરને કર્તા, નિયંતા તરીકે સ્થાપેલ છે. આ ઉપરથી અને બીજા કેટલાંક કારણોથી એમ લાગે છે કે ન્યાય-વૈશેષિક પરંપરા અને માહેશ્વર, પાશુપત આદિ પરંપરાઓને વધારે આંતરિક સંબંધ રહ્યો છે. ઈશ્વર વિષે સાંખ્યોગ પરંપરા ન્યાય-વૈશેષિક પછી સાંખ્યોગ અને મધ્યપરંપરાનો વિચાર કરીએ. સાંખ્યગ પરંપરા એ માત્ર ૨૪ કે ૨૫તત્વમાં નથી માનતી; એ તે ર૬ તત્ત્વ પણ સ્વીકારે છે. તેમાં જેમ સ્વતંત્ર પુરુષબહત્વનું સ્થાન છે, તેમ સ્વતંત્ર પુરુષવિશેષ ઈશ્વરનું પણ સ્થાન છે. ઉપલબ્ધ પાતંજલસૂત્રથી પહેલાં પણ સાંખ્ય-ગ પરંપરામાં અનેક ગ્રો હતા અને હિરણ્યગર્ભ" કે સ્વયંભૂના નામથી ગમાર્ગ પણ પ્રસિદ્ધ હતું. એ ગમાર્ગમાં પણ સ્વતંત્ર ઈશ્વરતત્ત્વનું સ્થાન હતું જ. પણ આજે એ નક્કી કરવું સરલ નથી કે તે બધા પુરુષ વિશેષરૂપ ઈશ્વરને માત્ર સાક્ષી, ઉપાસ્ય યા જપ્ય રૂપે જ માનતા કે તેઓ તેની ન્યાય-વૈશેષિકની પેઠે ભ્રષ્ટા-સંહર્તા તરીકે પણ સ્થાપના કરતા. ઉપલબ્ધ પાતંજલસૂત્ર ઉપરથી તે સીધી રીતે એટલું જ ફલિત થાય છે કે યોગ પરંપરામાં ઈશ્વરનું સ્થાન સાક્ષી યા ઉપાસ્ય રૂપે રહેલું છે. પરંતુ જ્યારે એ સૂત્રનું ભાષ્ય વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભાગ્યકાર ઈશ્વરને ઉદ્ધારક તરીકે પણ માને છે. તે કહે છે કે ભૂતાનુગ્રહ એ ઈશ્વરનું પ્રજન છે. તે જ્ઞાન અને ધર્મના ઉપદેશથી સમગ્ર પ્રાણીઓને ઉદ્ધરવાને સંકલ્પ કરે છે. આ સંકલ્પ તે સત્વગુણના પ્રકર્ષને અવલંબી કરે છે. જોકે વ્યાસે પિતાના કથનમાં એવું સ્પષ્ટ 9. Origin and Development of Samkhya System of Thought, pp. 49 etc. 2. Buddhist Logic, Vol. I, pp. 17, 20. ૩. યોગસૂત્ર ૧. ૨૩-૨૯. ४. प्रकृष्टसत्त्वोपादानादीश्वरस्य शाश्वतिक उत्कर्षः । –યોજમાર્ગ. ૧.૨૪. તસ્ય સાતમનુપ્રામાવેગ મૂતાન પ્રયોગનમ્ | ઇત્યાદિ. –ચોળમાધ્ય. ૧.૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy