SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ મૂળમાં જ એકતત્ત્વવાદી છે તેમણે તે જીવની પેઠે ઈશ્વરતત્વને વિચાર પણ એ મૂળ સાથે જ ઘટાવ્યું છે. હવે આ વિષે સ્પષ્ટીકરણ કરીએ. એમ લાગે છે કે સ્વતંત્ર ઈશ્વરતત્ત્વની માન્યતા બહુ જૂની છે અને તેથી તે સામાન્ય લોકોમાં રૂઢ પણ થયેલી. જે માન્યતાનાં મૂળ લેકમાં વધારે ઊંડાં હોય છે તે દાર્શનિક અને તત્ત્વચિન્તકને પણ વિચાર કરવા પ્રેરે છે. તેથી જ ઈશ્વરની માન્યતા વિષે દાર્શનિકે એ બહુ પહેલેથી જ વિચાર કર્યો હોય એ સંભવ છે. ઈશ્વર વિષે માહેશ્વર મતો સિધુ-સંસ્કૃતિના અવશેષમાં પાશુપત જેવા કેઈ પણ સંપ્રદાયની પ્રતીકે મળે છે. અને આજે પણ ઈશ્વર તરીકે માહેશ્વર રુદ્ર અને શિવનું નામ વધારે વ્યાપક છે. જે ચાર પ્રકારના માહેશ્વરેનું વર્ણન અને તેનું સાહિત્ય મળે છે તે ઉપરથી એટલું તે સિદ્ધ છે કે બધા જ માહેશ્વરે, કેઈ ને કઈ નામે, કેઈ ને કઈરૂપે, મહેશ્વરને માનતા રહ્યા છે. આ બધા અચેતન અને જીવનું બહત્વ સ્વીકારનાર જ છે. તેમાં કોઈ એવા છે કે જે ઈશ્વરને જગકારણ માનવા છતાં જીવ-કર્મનિરપેક્ષ અને તેથી કરી પૂર્ણ સ્વતંત્ર એવા કારણ તરીકે કપે છે; જ્યારે બીજા એવા પૂર્ણ સ્વતંત્ર કારણ તરીકે ન કલ્પતાં જીવકર્મસાપેક્ષ કર્તા તરીકે કલ્પ છે. આમ માહેશ્વરમાં બે મુખ્ય વિચારસરણી છે. ઇશ્વર વિષે ન્યાય-વૈશેષિક દૃષ્ટિ ન્યાય-વૈશેષિક પરંપરા પણ અચેતન અને ચેતનબહુત્વવાદી છે. કણાદનાં સૂત્રો વધારે પ્રાચીન છે. પણ તેમાં ઈશ્વરતત્વની કેઈ સ્પષ્ટ ચર્ચા નથી. તેના ઉપર જે પ્રશસ્તપાદનું ભાષ્ય છે તે તેની ઉપલબ્ધ વ્યાખ્યાઓમાં પ્રાચીન છે. એ ભાગમાં ૧. આ વિષે આગ્રામાં ભરાયેલ ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના અધ્યક્ષપદેથી શ્રી. ટી. એન. રામચંદ્રને આપેલા ભાષણનાં પૃ. ૫ થી ૧૦ પાસ દ્રષ્ટ્રવ્ય છે. २. ननु महदेतदिन्द्रजालं यन्निरपेक्षः परमेश्वरः कारणमिति । तथात्वे कर्मवैफल्यं सर्वकार्याणां समसमयसमुत्पादश्चेति दोषद्वयं प्रादुःष्यात् । मैवं मन्येथाः । –સર્વવનસંગત નીરાપાશુપતન, પૃ. ૬૬. तमिमं परमेश्वरः कर्मादिनिरपेक्षः कारणमिति पक्षं वैषम्यनै घुण्यदोषदूषितत्वात्प्रतिक्षिपन्तः केचन माहेश्वराः शैवागमसिद्धान्ततत्त्वं यथावदीक्षमाणाः कर्मादिसापेक्षः परमेश्वरः कारणमिति पक्षं कक्षीकुर्वाणाः पक्षान्तरमुपक्षिपन्ति । -- કર્યટનસંઘાર ફૌવન, પૃ. ૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy