SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વરૂપે મનાયેલ સ્વતંત્ર અનંત જે યા પુરુષોનું સ્થાન પણ ન રહ્યું. અને બધું જ બ્રહ્મમાંથી ઘટાવવામાં આવ્યું. બીજી બાજુ જેઓએ પ્રકૃતિ અને પુરુષનું વ્યક્તિત્વ સાવ ગાળી ન નાખ્યું, પણ બ્રહ્મના એક પરિણામ, કાર્ય અને અંશરૂપે તેનું વ્યક્તિત્વ સાચવી રાખ્યું, તેમણે બ્રહ્મના પરિણામની, કાર્યની યા અંશની વાસ્તવિકતા સ્થાપીને જવસ્વરૂપની પ્રતિષ્ઠા સ્થાપી. આ બધા એક રીતે વાસ્તવજીવવાદી છતાં બ્રહ્મપરિણામવાદી હાઈ પરત–જીવવાદી કટિમાં આવે. આને લગતી સવિસ્તર ચર્ચાનું આ સ્થાન નથી, છતાં એ વેદાન્તી તેનું દિગ્દર્શન કર્યા વિના જીવને લગતે વિચાર પૂરે થઈ શકે નહિ, તેથી હવે આપણે એ પણ વિચારી લઈએ. જીવ વિશેની વેદાંતવિચારધારા કેવલાદ્વૈત, સત્યપાધિ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, વૈતાદ્વૈત, અવિભાગત, શુદ્ધાદ્વૈત, અચિંત્યભેદભેદ જેવી મુખ્યપણે અદ્વૈતલક્ષી પરંપરાઓમાં પ્રવર્તમાન છે અને તવાદ તરીકે પણ સમર્થન પામતી રહી છે. કેવલાદ્વૈતવાદ શંકરને છે. તે એકમાત્ર બ્રહ્મને પારમાર્થિક માની જગતની પેઠે જીવને ભેદ પણ માયાબળ ઘટાવે છે. તેથી એ વાદ પ્રમાણે જીવ એ કઈ સ્વતંત્ર અને નિત્ય તત્ત્વ નથી, પણ માયા અવિદ્યા યા અન્તઃકરણના સંબંધથી થતે પારમાર્થિક બ્રહ્મને આભાસમાત્ર છે, અને જ્યારે જીવનું બ્રહ્મ સાથે એક્ય અનુભવાય છે ત્યારે એ આભાસ પણ રહેવા નથી પામતે. કેવલાદ્વૈતવાદને માત્ર શુદ્ધ અને અખંડ ચિ-તત્ત્વ જ ઈષ્ટ હોવાથી તેને જેમ શુદ્ધ બ્રહ્મ સાથે જીવતત્વના સંબંધની ઉપપત્તિ કરવી પડે છે, તેમ જીવના પારસ્પરિક ભેદની પણ ઉપપત્તિ કરવી પડે છે. વળી એને પુનર્જન્મ ઘટાવવા દેહથી દેહાન્તરને સંકમ પણ ઘટાવા પડે છે. મૂળમાં એક જ તત્ત્વ પારમાર્થિક હોય અને અનેક જાતના ભેદે ઘટાવવા પ્રાપ્ત થાય, ત્યારે તેને ઉપાય એકમાત્ર માયા યા અવિદ્યાને આશ્રય લે એ જ છે. કેવલાદ્વૈતવાદે તેથી જ માયા યા અવિદ્યાને આશ્રય લઈ બધે જ લૌકિક અને શાસ્ત્રીય ભેદપ્રધાન વ્યવહાર ઘટાવ્યા છે, પણ આ ઘટના કેઈ એક રીતે નથી થઈ શંકરને અંતિમ સ્વરૂપે શું ઇષ્ટ હતું તે તેમના શબ્દમાં નિર્દિષ્ટ નથી. તેથી તેમના શિષ્ય અને વ્યાખ્યાકારેએ આ વિષયમાં અનેક કલ્પનાઓ કરી છે, જે ઘણી વાર પરસ્પરવિરુદ્ધ પણ દેખાય છે. આ સ્થળે આપણે શંકરના વ્યાખ્યાકાએ કરેલી જુદી જુદી કલ્પનાઓના ડાક નમૂના જોઈશું, જે ઉપરથી એમ કહી શકાય ખરું કે જીવના સ્વરૂપ આદિની બાબતમાં કેવલાદ્વૈતવાદમાં દેખાય છે તેટલા મતભેદે બીજી કઈ વેદાંતવિચારધારામાં ઊભા નથી થયા. અહીં એ પણ જાણી લેવું ઘટે કે દરેક વ્યાખ્યાકારે પિતપતાની માન્યતા છે કલ્પના સિદ્ધ કરવામાં મુખ્યપણે કૃતિઓને જ આશ્રય લીધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy