SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્ય-ગ યા ન્યાય-વૈશેષિક આદિ નિરાત્મવાદી નથી કહેતા; તે જૈન દર્શન પણ તેમને નિરાત્મવાદી નથી લેખતું. એટલે ચેતનના સ્વરૂપ પરત્વે અતિ ઉગ્ર મતભેદ ધરાવનાર બૌદ્ધ વિચારસરણીને કેઈ વિચારક તો નિરાત્મવાદી કહી જ ન શકે –ભલે એ બીજાથી તદ્દન જુદી રીતે અને જુદી પરિભાષામાં આત્મસ્વરૂપ નિરૂપે. છેવટે સ્વતંત્ર આત્મતત્ત્વની માન્યતા શા માટે છે? એને શે આધાર છે?—એને ઉત્તર તે પુનર્જન્મવાદ અને તેના આનુષંગિક બીજા નૈતિક અને બધ-મોક્ષ જેવા આધ્યાત્મિકવાદે છે. જે બુદ્ધ એ બધા જ વાદને સંપૂર્ણ પણે સ્વીકારતા હોય તે એમના મન્તવ્યને કદી નિરાત્મવાદ કહી શકાય નહિ; ઊલટું, એ તે એ વાદનું પટુતમ બુદ્ધિકૌશલ લેખાવું જોઈએ કે તે પિતાના દષ્ટિપૂત ક્ષણિકવાદમાં પણ પુનર્જન્મ આદિની ગ્ય રીતે વ્યવસ્થા કરે છે.' હવે આપણે જોઈએ કે સ્વતંત્ર જીવતત્ત્વની બાબતમાં બૌદ્ધ કઈ રીતે વિચારતા આવ્યા છે? બુદ્ધનું પિતાનું જ દષ્ટિબિન્દુ વેધક હતું. તેથી તે કઈ પણ સત્ યા દ્રવ્યની સ્થિરતા જોઈ ન શકતું. સ્થાપકના આ દષ્ટિબિન્દુએ તેના ઉત્તરવતી સમગ્ર અનુયાયીવર્ગો ઉપર પ્રબળ અસર કરી છે. તેથી જેમ જૈન, સાંખ્ય-ચેગ યા ન્યાય-વૈશેષિક જેવી પરંપરાઓમાં આત્મસ્વરૂપ પરત્વે પિતાપિતાની સળંગ એકવાક્યતા રહી છે, તેમ બૌદ્ધ નિકાયમાં નથી બન્યું. એના તત્વનિરૂપણના ઈતિહાસમાં આત્મસ્વરૂપ પરત્વે આપણે પાંચ તબક્કા જોઈએ છીએઃ (૧) પુદ્ગલનરામ્યવાદ, (૨) પુદૂગલાસ્તિત્વવાદ, (૩) કાલિક ધર્મવાદ અને વાર્તામાનિક ધર્મવાદ, (૪) ધર્મનૈરાશ્ય યા નિઃસ્વભાવ યા શૂન્યવાદ અને (૫) વિજ્ઞપ્તિમાત્રતાવાદ. અહીં એ સમજી લેવું ઘટે કે આ બધા વાદના પુરસ્કર્તાઓએ બુદ્ધનું મુખ્ય દષ્ટિબિન્દુ અને ધ્યેય માન્ય રાખીને જ પિતાપિતાના વિચારે વિકસાવ્યા છે. એ ધ્યેય એટલે ચાર આર્ય સત્યને આધારે આધ્યાત્મિક શુદ્ધિ અને ઉત્કાન્તિની સ્થાપના. - પાલિ પિટક એકસ્વરથી કહે છે કે જેને ઇતર ચિન્તકે આત્મા તરીકે વર્ણવે છે તે તત્વ પરસ્પર અવિભાજ્ય એવા વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનના પ્રતિક્ષણ બદલાતા સંઘાતસ્વરૂપ છે, જેને બૌદ્ધો “નામ”પદથી પણ નિદેશે છે. ઉપનિષદોમાં “નામ-રૂપ” યુગલ આવે છે અને એમ પણ છે કે કઈ મૂળભૂત એક ૧. જુઓ, તત્ત્વસંગ્રહગત “કમફલસંબંધ પરીક્ષા'. ક. ૪૭૬-૫૪૬. ૨. બૌદ્ધ તત્ત્વજ્ઞાનની ત્રણ ભૂમિકા માટે જુઓ, Buddhist Logic, Vol. 1, pp. 3-14; 249 Central Philosophy of Buddhism p. 26. ૩. જુઓ, વિશુદ્ધિમાન, રાંધનિક, ૧૪; તથા ગણધરવાદની પ્રસ્તાવના, પૃ. ૮૨-૮૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy