SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ વિશે બૌદ્ધ દષ્ટિઓ સ્વતંત્ર જીવતત્વની વિચારસરણી ધરાવનારાઓમાં હવે બૌદ્ધ વિચારસરણું છેલ્લે આવે છે. સામાન્ય રીતે દરેક બૌદ્ધતર પરંપરા બૌદ્ધ પરંપરાને નિરાત્મવાદી કહેતી આવી છે. એટલે જ્યારે અહીં એને સ્વતંત્ર જીવવાદમાં સ્થાન આપી ચર્ચા કરવી હોય ત્યારે પહેલું એ વિચારવું પ્રાપ્ત થાય છે કે પ્રતિપક્ષીઓ એને નિરાત્મવાદી કઈ દષ્ટિએ કહેતા આવ્યા છે, અને તે ક્યા અર્થમાં સ્વતંત્રજીવવાદી છે? તથાગત બુદ્ધના પહેલાં અને તેમના સમય દરમિયાન અહીંના તત્ત્વચિંતકોમાં આત્મા, ચેતન યા જીવના સ્વરૂપ પરત્વે પ્રધાનપણે બે વિચારધારાઓ ચાલતી એક એમ માનતી કે આત્મતત્ત્વ યા એની શક્તિ ઉપર કેઈ પણ જાતની કાળતત્ત્વની અસર થતી નથી. તે પૂર્ણ અર્થમાં કાલપટમાં અસ્તિત્વ ધરાવવા છતાં એના પ્રભાવથી અલિપ્ત રહે છે; જ્યારે બીજી વિચારધારા એવી હતી કે આત્મતત્ત્વ અને એની શક્તિઓ પૂર્ણ અર્થમાં તદવસ્થ રહેવા છતાં તે કાળતત્ત્વના પ્રભાવથી સર્વથા અલિપ્ત રહી શકતી નથી. પહેલી વિચારધારા પ્રમાણે અસ્તિત્વ યા સત્ત્વને અર્થ એ છે કે જે સર્વથા ત્રણે કાળમાં અબાધિત યા અપરિવતિષશુ રહે. બીજી વિચારધારા પ્રમાણે વિધ્યવાસી એવું અન્તરાવર્તી શરીર માનવાની જ ના પાડે છે. આવો જ એક મત મહાભારત (૩.૧૯૭.૭૧)માં સેંધાયેલો છે. તે ઉપરાંત સંસ્કૃત “પ્રપંચસારતંત્રમાં પણ જન્માન્તરગામી સૂકમ શરીર વિષેના બીજા પણ મત છે. એ મતને ટીકાકાર પદ્મપાદે જુદા જુદા આચાર્યોનાં નામથી ઓળખાવ્યા છે, જેમ કે–પંચાધિકરણ, વાર્ષગણ્ય, આવશ્ય, વિધ્યાવાસી, પતંજલિ અને ધન્વન્તરિ. તેમાં શંકરાચાર્ય એક મત એ પણ એ છે કે પિતાને જીવ જ પુત્રમાં સંક્રાન્ત થાય છે. આ વિચાર ઐતરેય ઉપનિષદ અ, ૨. ૧-૩માં છે. આ યુક્તિદીપિકાગત અને પ્રપંચસારગત બધા મતોનું વિવરણ yreapues Origin and Development of the Sāṁkhya System of Thought” નામના પુસ્તક (પૃ. ૨૮૮-૨૯૮)માં બહુ વિસ્તાર અને સ્પષ્ટતાથી કર્યું છે. તેમાં તેમણે ચરક, સુશુત, કાશ્યપ સંહિતા, અષ્ટાંગહૃદય જેવા આયુર્વેદિક ગ્રંથને પણ ઉપયોગ કર્યો છે. છેવટે ઈશ્વરકૃષ્ણ પિતે સૂક્ષ્મ શરીર વિષે જે મંતવ્ય ધરાવે છે તે કા. ૪૦ને અનુંસરી સ્પષ્ટ કર્યું છે. વળી મૃત્યુ થતાં જ સૂમ શરીર નો જન્મ ધારણ કરવા કઈ રીતે પ્રવર્તે છે, એની પણ ચર્ચા મળે છે. કેઈ કહે છે કે જેમ લુકા આગલા પાંદડાને મજબૂત પકડ્યા પછી જ તે પહેલાંનું પાદડું છોડે છે, તેમ નવા જન્મસ્થાનને પ્રાપ્ત કરતા વેંત જ સૂક્ષ્મ શરીર પૂર્વ સ્થાન છેડે છે; બે વચ્ચે કાંઈ સમય જતા નથી. વળી કોઈ કહે છે, કે એક દીવામાંથી બીજે દીવો પ્રગટે તેમ પૂર્વજન્મ પછી નો જન્મ થાય છે. આ સાથે જૈન પરંપરાની કામણ શરીરની ગતિ સરખાવવા જેવી છે. તે ઋજુ અને વિગ્રહ એમ બે ગતિ સ્વીકારે છે અને ઋજુગતિ વખતે વચ્ચે કાંઈ અંતર રહેતું નથી. પુનર્જન્મ અને તેને લગતી વિગતે વિશે શ્રી અરવિંદનું Rebirth ખાસ જોવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy